________________
૬. પ્રાભૃતિકા દોષ पाहुडियावि हु दुविहा बायर सुहुमा य होइ नायव्वा ।
મોસામુનિ સિમોસર પારૂ૪ (પિ. નિ. ૨૮૫) સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મોડા બનાવવા તે પ્રાભૃતિકા કહેવાય.
આ પ્રાભૃતિકા બે પ્રકારની છે. ૧ બાદર અને ૨ સૂક્ષ્મ. તે બન્નેના બબ્બે ભેદ છે. ૧ અવસર્ષણ એટલે વહેલું કરવું અને ૨ ઉત્સર્ષણ એટલે મોડું કરવું. તે સાધુસમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પોતાને ત્યાં લીધેલા લગ્નાદિ પ્રસંગ મોડો આવતો હોય તો વહેલો કરવો અને વહેલો આવતો હોય તો મોડો કરવો. જેમકે -
બાદર અવસર્પણ-સાધુસમુદાય વિહાર કરતા પોતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ થોડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તો મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલા કરું. જેથી વહોરાવવાનો લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલો કરે. તેમાં જે રસોઈ વગેરે બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ.
બાદર ઉત્સર્પણ-સાધુ મોડા આવવાની ખબર પડે એટલે વિચારે કે ‘વિવાહ થઈ ગયા પછી મને કાંઈ લાભ મળશે નહિ માટે વિવાહ મોડા કરું, જેથી મને ભિક્ષા આદિનો લાભ મળે.’ આમ સમજી લગ્ન મોડા રાખે. તેમાં જે રસોઈ બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ.