________________
૨. ઓદેશિક દોષ ओहेण विभागेण य आहे ठप्पं तु बारस विभागे । ઉદ્દે વડે રાખ્યું પ્રવિ ર૩ો મેમો પારકા (પિં. નિ. ૨૧૯) ઔદેશિક દોષ બે પ્રકારે છે. ૧ ઓઘથી અને ૨ વિભાગથી. ઓઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદું.
ઓઘદેશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. | વિભાગ ઔદેશિક બાર પ્રકારે છે. તે ૧. ઉદ્દિષ્ટ, ૨. કત અને ૩. કર્મ. તે દરેકનાં પાછા ચાર ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે.
ઓઘદેશિક-‘પૂર્વભવમાં કંઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.” આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચોખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે ઓઘઔદેશિક કહેવાય છે.
ઓઘ-એટલે “આટલું અમારું, આટલું ભિક્ષુકનું.” આવો વિભાગ કર્યા સિવાય સામાન્ય રીતે કોઈ પણ ભિક્ષુકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અશનાદિ ઓઘઔદેશિક કહેવાય.
વિભાગ-એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગોમાં કરેલી વસ્તુ વધી હોય, તેમાંથી જે ભિક્ષુકને ઉદ્દેશી આપવા માટે જુદી કરવામાં આવી હોય તે, વિભાગ ઔદેશિક કહેવાય. તેના બાર ભેદો છે. તે નીચે પ્રમાણે જાણવા.