________________
આધાકર્મ દોષ
પ૩
બનવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશોમતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યા. યશોમતિ અંતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શંકા ન પડે એટલે બહારથી ખાસ કોઈ આદર બતાવ્યો નહિ, બાળકો શીખવાડ્યા પ્રમાણે બોલવા લાગ્યા, એટલે યશોમતીએ બાળકોને ઠપકો આપ્યો અને બહારથી અનાદર અને રોષપૂર્વક સાધુને કહ્યું કે “આ બાળકો ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રુચતી નથી. જો તમને રુચતી હોય તો લો નહિતર બીજે જાવ.”
મુનિને આધાકર્મી આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરું કાઢ્યું. યશોમતીએ ખૂબ ભક્તિપૂર્વક પાતરું ભરી દીધું અને બીજું ઘી, ગોળ વગેરે ભાવથી વહોરાવ્યું.
સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક ગામ બહાર નીકળ્યા અને કોઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઇરિયાવહિ આદિ કરી, પછી કેટલોક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે “આજે ગોચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તો કોઈ સાધુ આવીને મને લાભ આપે તો હું સંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિરંતર સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિત જેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુ:ખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાર્યાદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણો ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારો આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ મારો આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તો મને મોટો લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાય: અને નિરુપયોગી છે, મારે તો જે તે આહારથી પણ નિર્વાહ થઈ શકે એમ છે.” આ ભાવનાપૂર્વક મૂર્છારહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણી માંડી અને વાપરી રહેતાં તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણા કરતાં આધાકર્મી આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતો નથી, કેમકે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરેલ છે.
હાર દશમું
શંકા-સમાધાન શંકા-જે અશુદ્ધ આહારાદિને સાધુએ પોતે બનાવ્યો નથી, તેમ બનાવરાવ્યો નથી, તેમ જ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દોષ શો ?