________________
પૂતિકર્મ દોષ
ઉ૧
આવો દોષવાળો આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકર્મી ઉપકરણ આદિ ઉપરથી લઈને ગૃહસ્થ પોતાને માટે બીજે મૂકેલો હોય તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે.
ભક્તપાન બાદરપૂતિ-આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને બાળવાથી જે ધુમાડો થાય તેના ઉપર ઊંધું વાસણ મૂકીને વાસણ ધુમાડાની વાસનાવાળુ કર્યું હોય અર્થાત્ વઘાર દીધો હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધ આહાર નાખેલો હોય અથવા તો આધાક આહારથી ખરડાયેલા વાસણમાં બીજો શુદ્ધ આહાર નાખ્યો હોય અથવા તો આધાકર્મી આહારથી ખરડાયેલા હાથ કે ચમચા વગેરેથી અપાતો શુદ્ધ આહાર, તે ભક્તપાન બાદરપૂતિ દોષવાળો ગણાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ.
સૂક્ષ્મપૂતિ-આધાકર્મી સંબંધી ઇંધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધુમાડો, ગંધ વગેરે શુદ્ધ આહારાદિને લાગે તે સૂક્ષ્મપૂતિ.
સૂક્ષ્મપૂતિવાળું અકથ્ય બનતું નથી, કેમકે વરાળ, ધુમાડો, ગંધ સકલ લોકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂક્ષ્મપૂતિ ટાળવી અશક્ય હોવાથી તેનો ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી.
શંકા-શિષ્ય કહે છે કે “સૂક્ષ્મપૂતિ અશક્ય પરિહાર કેમ ? તમે જો જે પાત્રમાં આધાકર્મી આહાર ગ્રહણ કર્યો હોય, તે આધાકર્મી આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચોંટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં