________________
૩. પૂતિકર્મ દોષ
बायरं सुहुमं भावे उ पूइयं सुहुममुवरि वोच्छामि ।
વારા મત્તપાળે સુવિદં પુખ્ત વાવરું પૂરૂં ।।।। (પિં. નિ. ૨૪૯)
પૂતિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપૂતિ અને બીજી બાદરપૂતિ. સૂક્ષ્મપૂતિ આગળ કહીશું. બાદરપૂતિ બે પ્રકારે. ઉપકરણપૂતિ અને ભક્તપાનપૂતિ.
પૂતિકર્મ-એટલે શુદ્ધ આહારમાં આધાકર્મી આહારનું ભેગું થવું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે.
પૂતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ-પૂતિ નામ હોય તે.
સ્થાપનાપૂતિ-પૂતિની સ્થાપના કરી હોય તે. દ્રવ્યપૂતિ-છાણ, વિષ્ટા આદિ ગંધાતા-અશુચિ પદાર્થો.
ભાવપૂતિ-બે પ્રકારે. સૂક્ષ્મભાવપૂતિ અને બાદરભાવપૂતિ. તે દરેકના ઉપરના બતાવેલ બે ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ.
જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપૂતિ કહેવાય.
ઉપકરણ બાદરપૂતિ-આધાકર્મી ચૂલા ઉપર રાંધેલું કે મૂકેલું અથવા આધાકર્મી ભાજન, કડછી, ચમચા આદિમાં રહેલો શુદ્ધ આહાર પણ આધાકર્મી ઉપકરણના સંસર્ગવાળો હોવાથી તે ઉપકરણ બાદરપૂતિ કહેવાય છે.
ચૂલો વગેરે રાંધવા વગેરેનાં સાધનો હોવાથી ઉપકરણ કહેવાય છે.