________________
ઔદેશિક દોષ
ભાવઅછિન્ન-ગૃહનાયક-ઘરના માલિક આપનાર ઘરની સ્ત્રી આદિને કહે કે તને રુચે તો પણ આપવું અને ન રુચે તો પણ આપવું.' દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે.
ક્ષેત્રછિન્ન-ઘરની અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે.
કાલછિન્ન-અમુક ટાઇમથી અમુક ટાઇમ સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન-“તને રુચે તેટલું જ આપજે.' એમ કહેલું હોય તે. ઓઘઔદેશિકનું સ્વરૂપ :
सा उ अविसेसियं चिय मियंमि भत्तंभि तंडुले छुहइ ।
પાર્સીન નદીના 7 નો દિફ ત મિg iારા (પિ. નિ. ૨૨૧) દુકાળ પૂરો થઈ ગયા બાદ કોઈ ગૃહસ્થો વિચાર કરે કે “આપણે મહામુશીબતે જીવી ગયા, તો રોજ કેટલીક ભિક્ષા (રોજ અમુક ભિક્ષુકને) આપીશું. ગયા ભવમાં જો આપ્યું ન હોત તો આ ભવમાં મળત નહિ, જો આ ભવમાં નહિ આપીએ તો આવતા ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં આપણને મળે માટે ભિક્ષુક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.'
આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસોઈ કરતા હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તો તેમને આપવા માટે ચોખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઈ પકાવતાં તેમનો એવો ઉદ્દેશ નથી હોતો કે “આટલું અમારું અને આટલું ભિક્ષુકનું.' વિભાગરહિત હોવાથી આ ઓઘઔદેશિક કહેવાય છે.
શંકા-છદ્મસ્થ સાધુને “આ આહારાદિ ઓઘઔદેશિક છે કે શુદ્ધ આહારાદિ છે” તેની શી ખબર પડે ?
સમાધાન-ઉપયોગ રાખવામાં આવે તો છબસ્થ પણ જાણી શકે કે “આ આહાર ઓઘદેશિક છે કે શુદ્ધ છે.”
જો ભિક્ષા આપવાના સંકલ્પપૂર્વક વધારે રસોઈ કરેલી હોય તો પ્રાય: ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હોય.
કોઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરનો નાયક પોતાની પત્ની આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રોજની નક્કી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે. અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કોલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય અથવા તો “આ એકને આપ્યું.” “આ