________________
આધાકર્મ દોષ
૪૫
કર્યું. પછી જ્યારે પોતાના પતિ અને જેઠ જમવા બેઠા, ત્યારે તેમની થાળીમાં તે માંસ પીરસ્યું.
આ હકીકત તેની શોકનો પુત્ર ગુણમિત્ર જોઈ ગયો હતો, તેથી પોતાના કાકા તથા પિતાને તે માંસનું ભોજન કરતાં રોક્યા અને બધી વાત કરી. આ સાંભળી ઉગ્રતેજ એકદમ કોપાયમાન થઈ ગયો. રૂક્મિણી ભયથી ધ્રૂજવા લાગી અને બધી સાચી વાત કહી દીધી.
હવે તે બધું ભોજન કાઢી નાંખ્યું અને બીજું ભોજન કર્યું.
જેમ વસેલું ભોજન ખાવા લાયક નથી, તેમ આધાકર્મી આહાર પણ વાપરવા લાયક નથી. સાધુએ અસંયમનો ત્યાગ કરેલો છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વસેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય.
વેદાદિ લૌકિક શાસ્ત્રોમાં ઘેટીનું દૂધ, ઊંટડીનું દૂધ, લસણ, ડુંગળી, મદિરા અને ગાયના માંસનો નિષેધ કરેલો છે. તે માન્ય રાખીને મિથ્યાષ્ટિ લોકો પણ તેનું પાલન કરે છે. તો પછી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની શ્રદ્ધાવાળા સાધુઓએ આધાકર્મી આહાર સુતરાં વાપરવો જોઈએ નહિ.
વળી તલનો લોટ, નાળિયેર (શ્રીફળ) આદિ ફળ વિષ્ટામાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિષ્ટા કે અશુચિ પડે તો તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાકર્મી આહાર પડી જાય કે તેના ભેગો થાય તો તે શુદ્ધ આહાર પણ વાપરવા યોગ્ય રહેતો નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણ વાર ધોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું છે.
દ્વાર પાંચમું આધાકર્મ વાપરવામાં કયા કયા દોષો છે ? कम्मग्गहणे अइक्कमवइक्कमा तहऽइयारऽणायारा ।
નામ SUવસ્થા મછત્ત-વિરાદ ર મ પાર પા (પિ. વિ. ૧૭) આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં 2 અતિક્રમ, ૨ વ્યતિક્રમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્વ અને ૮ વિરાધના દોષો લાગે છે.
2 અતિક્રમ-આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની