________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧૩
તેઇન્દ્રિય-ઉધેહીની માટી વગેરે.
ચઉરિન્દ્રિય-શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની અઘાર વગેરે. ૯ પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકીનો વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી.
તિર્યંચ પંચેન્દ્રિયનો ઉપયોગ – ચામડું, હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડાં, વિષ્ટા, મૂત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ઘી આદિનો ઉપયોગ કરાય છે.
મનુષ્યનો ઉપયોગ-સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે.
મિશ્ર મનુષ્યનો ઉપયોગ રસ્તો આદિ પૂછવા માટે.
અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે.
દેવનો ઉપયોગ-તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ આદિ પૂછવા માટે તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે દેવનો ઉપયોગ કરે.
ભાવપિંડ બે પ્રકારે છે-૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત.
પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે.
અપ્રશસ્ત પણ એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. एगविहाइ दसविहो पसत्थओ चेव अपसत्थो अ । संजम' विज्जाचरणे' नाणादितिगं च तिविहो उ ।। ४ ।। नाणं दसणं तव संजमो य "वय पंच छच जाणेज्जा । पिंडेसण पाणेसण उग्गहपडिमा य पिंडम्मि ।। ५ ।। पवयणामाया' नव बंभ' गुत्तिओ तह य " समणधम्मो य । एस सतत्थो पिंडो भणिओ कम्मट्ठमहणेहिं ।। ६ ।। अपसत्थोय असं जम अन्नाणं अविरई यमिच्छत्तं । જોહા યાસવળાવાદ -મ્મમુત્તી' ગઠ્ઠો ?° હૈં ।। ૭ ।। (પિં. નિ. ૬૦, ૬૧, ૬૨, ૬૩.)