________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
6 હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સંસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઊભા ઊભા અથવા ઉત્કટુક આસને રહીશ. (જિનકલ્પીકાદિ માટે)
7 ઉપરની છઠ્ઠી પ્રમાણે જ, વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સંસ્તારક હશે તેનો તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજો નહિ.
૧૫
4-5-6-7 આ ચાર પ્રકારના અભિગ્રહો જિનકલ્પી મુનિવરોને હોય છે. સ્થવિરકલ્પીને તો પહેલા ત્રણ અભિગ્રહો હોય છે. આઠ પ્રકાર તે આઠ પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ.
નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ.
દસ પ્રકારે તે-ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ.
આ દશ પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થંકર ભગવંતોએ કહેલો છે.
અપ્રશસ્ત ભાવપિંડ
એક પ્રકાર તે અસંયમ (વિરતિના અભાવરૂપ)
બે પ્રકારે તે-અજ્ઞાન અને અવિરતિ.
ત્રણ પ્રકારે તે-મિથ્યાત્ત્વ, અજ્ઞાન અને અવિરતિ.
ચાર પ્રકારે તે-ક્રોધ, માન, માયા અને લોભ.
પાંચ પ્રકારે તે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે–પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય અને ત્રણકાયની વિરાધના.
સાત પ્રકારે તે-આયુષ્ય સિવાય સાત કર્મોનાં બંધના કારણભૂત અધ્યવસાયો. આઠ પ્રકારે તે-આઠે કર્મોના બંધના કારણભૂત અધ્યવસાયો.
નવ પ્રકારે તે-બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે.
દશ પ્રકારે તે-ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ન કરવું તે. અધર્માચરણ કરવું.
3
અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ
बज्झइ य जेण कम्भं सो सव्वो होइ अप्पसत्थो उ ।
મુØક્ ય નેળ સો ૩ળ પક્ષથો નરિ વિન્નેને ।।૮।। (પિં. ન. ૬૪)
જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો (દીર્ઘસ્થિતિવાળાં, સંસા૨ને