________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
વધારનારાં અને કટુવિપાકવાળાં) બંધાય તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થાય આત્મા કર્મોથી મૂકાય મુક્ત થતો જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો.
૧૩
અહીં એકાદિ પ્રકારોને પિંડ શી રીતે કહેવાય ? આ શંકાના સમાધાનમાં સમજવું કે તે તે પ્રકારને આશ્રયીને તેના અવિભાગ્ય અંશસમૂહને પિંડ કહેવામાં આવે છે અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતો હોવાથી તે ભાવપિંડ કહેવાય છે.
અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મોક્ષના અર્થી જીવોને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તોડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત્ત દ્રવ્યપિંડ એને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. એ માટે કહે છે.
निव्वाणं खलु क नाणाइतिगं च कारणं तस्स ।
નિવ્વાળારળાનું ચ ારાં દોડ઼ આહારો ।। o ।। (પિં. નિ. ૬૯)
મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય માત્ર મોક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે.
આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ.
ઉદ્ગમાદિ દોષવાળો આહાર ચારિત્રનો નાશ કરનાર છે.
શુદ્ધ આહાર મોક્ષના કારણરૂપ બને છે.
જેમ તંતુ (સૂત૨) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સૂતર બને છે અને સૂત૨થી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવનો મોક્ષ થાય.
આ માટે સાધુએ ઉદ્ગમ ઉત્પાદનાદિ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો જોઈએ, તેમાં ઉદ્દગમના સોળ દોષો છે. તે આ પ્રમાણે -
आहाकम्मुद्दे 'सि' पूईकम्मे ३ य मीसजाए य ।
ठवणा' पाहुडियाए" पाओअर" कीय' पामि' ।। १० ।।
परियट्टिए" अभिहडे" उब्मिन्ने? मालोहडे" इअ ।
*
સચ્છિને મળસફ઼ેશ્ય ગાોય ય સોસમે ।। ।। (પિં. વિ. ૪)