________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૫ ઉપકરણ-ઉત્સર્ગથી સઘળાં ઉપકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રાં, પડલાં, રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું) અને દાંડો લઈને ગોચરી જાય.
૬ માત્રક-પાત્રની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય.
૩
૭ કાઉસ્સગ્ગ-‘૩પયોગ રાળિયું'નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ગ કરીને આદેશ માંગે. ‘સંવિસદ્દ' આચાર્ય કહે ‘હ્રામ' સાધુ કહે ‘ ંતિ (જ્ન્મ વ્હેતુ) આચાર્ય કહે ‘તદ્ઘત્તિ' (નન્હા હિયં પુવ્વસાહૂઁહિં)
૮ યોગ-પછી કહે કે ‘આસ્સિયા નસ્સ ખોળો' જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ.
અપવાદો ૧ આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુવાર ગોચરી જાય.
૨ સંઘાટ્ટક સાથે ગોચરી કરતાં ટાઇમ પહોંચે એમ ન હોય તો બન્ને જુદા જુદા થઈ જાય.
જે સાધુ જેમ તેમ જે મળે તે દોષિત આહાર ઉપધિ આદિ ગ્રહણ કરે છે, તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે.
જે પ્રવચનથી નિરપેક્ષ આહાર આદિમાં નિ:શુક, લુબ્ધ અને મોહવાળો થાય છે, તેનો અનંતસંસાર શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે. માટે વિધિપૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી.
ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, બીજી ભાવગવેષણા.
દ્રવ્યગવેષણાનું દૃષ્ટાંત
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાળું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી, આથી તેને સુવર્ણપીઠવાળું મૃગનું માંસ ખાવાનો દોહલો (ઇચ્છા) થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું.
રાણીને દુર્બળ થતી જોઈ, રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે ? તારે શું દુ:ખ છે ?’ રાણીએ સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી.
રાજાએ પોતાનાં માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી (એક જાતના ફળ) ફળ ઘણાં પ્રિય હોય છે,