________________
૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
पिंडे उग्गमउप्पायणेसणा संजोयणा पमाणं च
।
ફંગાજી ધૂમ ારા ગડ્ડવિજ્ઞા પિંક નિવ્રુત્તી ।। ।। (પિં. નિ. ૧) પિંડ એટલે સમૂહ. તેના ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપિંડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે.
દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. ૧ આહાર, ૨ શય્યા, ૩ ઉપધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડનો વિચાર કરવાનો છે. શય્યાપિંડ અને ઉપધિપિંડનો વિચાર ઓનિર્યુક્તિ આદિ ગ્રંથમાં કરવામાં આવેલો છે. જિજ્ઞાસુએ તે તે ગ્રંથો જોઈ લેવા.
પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. તે આઠ પ્રકારો નીચે પ્રમાણે છે. ૧ ઉદ્ગમ, ૨ ઉત્પાદના, ૩ એષણા, ૪ સંયોજના, ૫ પ્રમાણ, ૭ અંગાર, ૭ ધૂમ્ર અને ૮ કારણ.
૧ ઉદ્ગમ-એટલે આહારની ઉત્પત્તિ એથી ઉત્પન્ન થતા દોષો તે ઉદ્ગમદિ દોષો કહેવાય છે, તે આધાકર્માદિ સોળ પ્રકારે થાય છે, આ દોષો ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે.
૨ ઉત્પાદના-એટલે આહારને મેળવવો એમાં થતાં દોષો ઉત્પાદનાદિ દોષો કહેવાય છે, તે ધાત્રી આદિ સોળ પ્રકારે થાય છે. આ દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે.
૩ એષણાના-એષણાના ત્રણ પ્રકારો છે. ગવેષણા એષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણા.
(૧) ગવેષણા એષણા
આઠ પ્રકારો-૧ પ્રમાણ, ૨ કાલ, ૩ આવશ્યક, ૪ સંઘાટ્ટક, ૫ ઉપકરણ, ૬ માત્રક, ૭ કાઉસ્સગ્ગ, ૮ યોગ અને અપવાદ.
૧ પ્રમાણ-ભિક્ષા માટે ગૃહસ્થોનાં ઘેર બે વાર જવું.
૧. અકાલે ઠલ્લાની શંકા થઈ તો તે વખતે પાણી લેવા. ૨. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા.
૨ કાલ-જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય તે ટાઇમે જવું.
૩ આવશ્યક-ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં ‘આવદિ’ કહેવી.
૪ સંઘાટ્ટક-બે સાધુએ સાથે ભિક્ષાએ જવું.