Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
શબ્દશક્તિઃ અભિધા જોઈએ એવું વૈયાકરણનું મત છે. અર્થાત, વર્ણ જાતે નશ્વર છે, તેમાંથી અર્થ નીકળતો નથી પણ તેમાંથી સ્ફટરૂપ નિત્ય શબ્દ વ્યંગ્ય થાય છે અને તે ફેટમાંથી અર્થ નીકળે છે. વૈયાકરણ ફેટને ધ્વનિ પણ કહે છે. નૈયાયિકો પણું એટલું તે કબૂલ કરે છે કે વણે નશ્વર છે, તે પ્રત્યેકમાંથી અર્થ નીકળતું નથી, અને એ વણે જલદી નાશ પામે છે તેથી એને સમુદાય સંભવ નથી. પરંતુ પૂર્વ પૂર્વ વર્ણના સંસ્કાર સાથે અન્ય વર્ણના જ્ઞાનથી જ અર્થની પ્રતીતિ થાય છે, માટે ફેટ સ્વીકારવાની જરૂર નથી, એમ તેમનું મત છે.
સંકેતઃ તે શેમાં રહેલો છે—હવે શબ્દમાંથી કયે અર્થ નીકળે છે તેને વિચાર કરીએ. અમુક શબ્દથી અમુક અર્થને બેધ થે જોઈએ એવી અનાદિ કાળથી ચાલી આવેલી ઈચ્છા તે સંકેત એમ તૈયાયિકેનું માનવું છે. વૈયાકરણના મત પ્રમાણે શબ્દ અને અર્થને સંબંધ નિત્ય છે. જેમ ઇન્દ્રિયમાં પિતાના અર્થો ગ્રહણ કરવાની યેગ્યતા સ્વાભાવિક છે, જેમ આંખ સ્વભાવથીજ રૂપનું, કાન શબ્દનું, એમ ઈન્દ્રિયે પિતાપિતાના વિષયનું ગ્રહણ કરે છે, તેજ પ્રમાણે શબ્દને અર્થ સાથે સ્વાભાવિક-અનાદિ કાળથી ચાલ્યા આવેલે-સંબંધ છે અને અર્થને બંધ કરવાની ચેગ્યતા છે. જેમ આંખ રૂપનું ગ્રહણ કરી શકે છે, શબ્દનું નહિ, તેમ “ઘટ શબ્દમાંથી, અર્થને બંધ કરવાની એવી સ્વાભાવિક ગ્યતાને લીધે, “ઘડાને જ અર્થ નીકળે છે, બીજે નહિ. આ પ્રમાણે વૈયાકરણે અમુક શબ્દમાંથી અમુક અર્થ નીકળ જોઈએ એવી ઈશ્વરેચ્છાને કે અનાદિ કાળથી ચાલી આવેલી ઇચ્છાને, નૈયાયિકોની પેઠે, સંકેત માનતા નથી, પરંતુ તેમના મત પ્રમાણે સંકેત એટલે પદ અને અર્થની વચ્ચે પરસ્પર એકતાને સંબંધ છે, જે એક એકને યાદ દેવડાવે છે. જે શબ્દ તેજ અર્થ અને અર્થ તેજ શબ્દ એમ ભાષ્યકાર કહે છે. અર્થાત્, અર્થ માટે સંકેત સ્વીકારવાની જરૂર નથી સ્વાભાવિક રીતે શબ્દમાં અર્થ ઉપજાવવાની યોગ્યતા છે.
સંકેત શેમાં રહેલો છે તે વિષે વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત છે. કેટલાક વ્યક્તિમાં, કેટલાક જાતિમાં, ને કેટલાક જાતિવિશિષ્ટ વ્યક્તિમાં