Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
નામ: પ્રકાર
૯૭ એક એવા પુરુષનો વર્ગ સમજવાનું છે અને તેમાં સામાન્ય ધર્મજાતિ હેવાથી એમાંની હર કઈ વ્યક્તિનું નામ જાતિવાચક બને છે.
સમૂહવાચક નામ અને દ્રવ્યવાચક નામ-સમૂહવાચક નામ-સૈન્ય, વણજાર, કાફલે, મેદની-અને દ્રવ્યવાચક નામ-ઘી, ગોળ, ઘઉં, સોનું, રૂપું–એ વસ્તુતઃ જાતિવાચક છે. એ કંઈ એક જ વ્યક્તિને યટછાથી આપેલાં નામ નથી તેથી સંજ્ઞાવાચક નામથી ભિન્ન છે તેમજ ગુણના નામ પણ નથી, તેથી ભાવવાચક નામથી પણ ભિન્ન છે. જેમ એક વર્ગને અન્યથી ઓળખવા આપણે જાતિવાચક નામ વાપરીએ છીએ, તેમ એક સમૂહને તથા દ્રવ્યને અન્ય સમૂહ તથા દ્રવ્યથી ઓળખવા માટે આપણે સમૂહવાચક નામ અને દ્રવ્યવાચક નામ વાપરીએ છીએ, તેથી તે પણ જાતિવાચકજ છે. ફેર એટલે જ છે કે જાતિવાચક નામ આખા વર્ગને તેમજ તેમાંની દરેક વ્યક્તિને પણ લાગુ પડે છે, ત્યારે સમૂહવાચક નામ સમૂહને જ લાગુ પડે છે, છૂટી વ્યક્તિને માટે તે નામ વપરાતું નથી, કેમકે એમાં સમૂહનોજ વિચાર કર્યો છે, વ્યક્તિને નહિ. દ્રવ્યવાચક નામમાં પણ જથાને અર્થ સમાયેલ છે, તેમજ અનિશ્ચિતતાને પણ અર્થ છે. કાચ, પત્થર, ઘઉં, સોનું, વગેરે નામમાંથી નિશ્ચિત જથાને અર્થ નીકળતું નથી, નિશ્ચિત અર્થ બતાવવા કાચને કકડો, મે પત્થર, મણ ઘઉં, તેલે સેનું, વગેરે શબ્દ વાપરીએ છીએ.
ભાવવાચક–ભાવ એટલે ગુણ કે કિયા. તે દર્શાવનારાં નામ તે ભાવવાચક નામ કહેવાય છે.
દાખલા – સૌન્દર્ય, મેટાઈ, દયા, બુદ્ધિ, રમત, ગમત, વગેરે.
બીજાં નામ પાંચ જ્ઞાનેન્દ્રિમાંની ગમે તેનાથી સમજાય એવા પદાર્થનાં છે, પણ ભાવવાચક નામ મનથી સમજાય એવા ગુણનાં છે. આપણે કાળા પદાર્થો જોઈએ છીએ, પણ કાળાશ જોઈ શક્તા નથી. તે તે મન વડેજ ગ્રહણ કરી શકીએ છીએ.