Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
વિભક્તિવિચાર
૧૨૯
મુગ્ધબોધ – ચૈતુ કટ કરઈ (કટ-સાદડી); સંસારુ તરઈ (સંસાર ); ગુરિ
અથું કહતઈ (ગુરુ અર્થ કહતે સતે-સતિ સપ્તમી; અથું=
અર્થ); કિશું ખેડતઉ ? હલ (હળ).
ને પ્રત્યય--બીજી વિભક્તિ ને પ્રત્યય ખરું જોતાં પછીના પ્રત્યયનું રૂપાન્તર છે. “” પ્રત્યય એથી વિભક્તિને પણ છે.
મુગ્ધબોધ - ઈકાર-નઈ બેલિવઇ (ઇકારને બેલતાં).
ભાષાશાસ્ત્રી બીમ્સ એ પ્રત્યય લગી માંથી વ્યુત્પન્ન કરે છે. મરાઠીમાં a[ પ્રત્યય દ્વિતીયા ને ચતુથીને છે. એનું પ્રાચીન રૂ૫ “ામુનિ-ઢાળી છે. નેપાળી “લાઈ એની સાથે સંબદ્ધ છે. સ્ત્ર–લાગવું, એ ધાતુ પરથી એ શબ્દ આવ્યો છે. હિંદીમાં સાદામાં સારું રૂપ ધા', સ્ત્રી છે. બન્ને ને “ન' સહેલાઈથી બદલાય છે તેથી હિંદીમાં કેટલીક ગ્રામ્ય બેલીમાં ‘ૐ’નું બને કે તે થાય છે અને તે ચોથીમાં વપરાય છે. “જિ” એ કૃદન્તરૂપની સાથે ન” પ્રત્યય જોડાયેલ છે. “જિ”નું “હું થઈ સૈ', કનૈ', અને બને થયું છે.
ગુન' ઉપરથી “જી લેપાઈ “જીને “નૂ' થઈ પંજાબીમાં બીજી વિભક્તિને પ્રત્યય “શું થયો છે. ' ' બંગાળીમાં “” “' થઈ બીજનો પ્રત્યય જે થયો છે.
આવું ભાષાશાસ્ત્રી બીસનું મત છે. ડૉ. ભાંડારકર એ મતના નથી. તેઓ ધારે છે કે પછી તેમજ દ્વિતીયા ને ચતુર્થીના પ્રત્યય અપભ્રંશ “તા' પરથી આવ્યા છે. તળેળ (તળની તૃતીયા) પરથી જ લેપાઈ, અનુનાસિકની અસર પૂર્વ સ્વર પર થઈ ત થયું છે તેનું તે થાય છે તેમ). પછી ત લોપાઈ ને (મૂળ સંસ્કૃત તન પ્રત્યય છે–સાયંતન, અદ્યતન, પુરાતન, વગેરેમાં છે તે) થઈ અનુસ્વાર પાઈને થયું છે. ડૉ. ભાંડારકરનું ધારવું ખરું લાગે છે. મુગ્ધબોધ માં નીચે પ્રમાણે છે – ગુરુ-તણઉં વચન (ગુરુ-તણું) એ બિહુ–નઈ ગિ (બેને ગે-બેના યુગમાં) વર્ગ-તણું ત્રીજા અક્ષર રહિં પદાતિ (પદાન્ત વર્ગને ત્રીજા
અક્ષરને બદલે)