Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હેવાથી પ્રાતિપાદિકાળે પ્રથમામાં આવે છે. સંસ્કૃતમાં સર્વત્ર એમ થાય છે ગુજરાતીમાં બધા થાય છે, સર્વત્ર નહિ.
તેણે તેને બોલાવ્ય-માર્યો–ઓળખે-દીઠે, વગેરે. ઉપરનાં વાક્યમાં કર્મ ઉક્ત છે છતાં દ્વિતીયામાં છે.
જૂની ગુજરાતીમાં એવે સ્થળે કર્મ પ્રથમામાં આવતું તે ભાલણના પ્રયોગથી જણાય છે. કાદમ્બરીમાં ભાલણે “તેણી હું દીઠું નહિ” વાપર્યું છે. પૃ. ૧૫૨-૫૩ જુએ.
હિંદીમાં ઉપરને મળતી રચના થાય છે –
રાજાને શેરની–ો મારા (રાજાએ વાઘણને મારી)-આમાં કર્મ રોશની-જો ચતુથમાં છે; પ્રથમામાં નથી. ક્રિયાપદ કર્મ સાથે જાતિમાં અન્વય પામતું નથી; તે ભાવે પુંલિંગમાં આવે છે; કેમકે હિંદુસ્તાનમાં નપુંસક લિગ નથી.
ગુજરાતીમાં તે કર્મ બીજીમાં કે ચતુથમાં હોય, તે પણ કર્મણિ કૃદન્ત કે ક્રિયાપદ તેનીજ સાથે અન્વય પામે છે. રાજસ્થાનીમાં એવીજ રચના છે, પણ જ્યાં ગુજરાતીમાં નપુંસક છે, ત્યાં રાજસ્થાનમાં પુંલિંગ વપરાય છે
રાજાએ વિચાર્યું રાજ -રાગામ વિવાર્યો.
મરાઠીમાં પણ કર્મ ચતુથમાં આવે છે તે પણ ક્રિયાપદ કર્મ સાથે અન્વય પામે છે. પરંતુ કેટલેક સ્થળે એમ થતું નથી, ત્યાં મરાઠીમાં ક્રિયાપદ નપુંસકમાં ને હિંદુસ્તાનીમાં નપુંસક નથી તેથી પુંલિંગમાં આવે છે ને તે સ્થળે પ્રગ ભાવે થાય છે.
ની મુઠ્ઠીર નિગવિચી–મેં છોકરીને ઉંધાડી. વૈવાને તથા વર વેરા-વૈદ્ય રોગીને સારે કર્યો.
માન્હીં મુકી વાવ સાકર વાટવીથી (કર્મણિ)-અમે છોકરી કાલે જ સાસરે મોકલી.
* “રાજાએ વાઘણને મારી, આમાં “વાઘણને ને ચતુથીમાં પણ લઈ શકાય.