Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તેવા સ્પષ્ટ ઉચ્ચારે ગુજરાતી ભાષામાં નથી, તેમજ કેટલાક ઉચ્ચારમાં પ્રાન્તિક ભેદ છે. આ કારણથી જોડણીને પ્રશ્ન વિકટ થઈ પડ્યો છે. તેપણ વ્યુત્પત્તિને અનુસરતી જોડણી કરતાં ઉચ્ચારને અનુસરતી જોડણી ઘણું સરળ છે. વ્યુત્પત્તિનું જ્ઞાન સર્વને હતું નથી; અને કેટલાક શબ્દની વ્યુત્પત્તિ વિદ્વાનેને પણ બરાબર સમજાતી નથી. તે પણ જ્યાં વ્યુત્પત્તિ સ્પષ્ટ હોય ત્યાં વ્યુત્પત્તિનું તત્વ પણ સચવાય ત્યાંલગણ સાચવવું યુક્ત છે. આવાં કારણેને લીધે કેટલેક સ્થળે કૃત્રિમ નિયમ બાંધ્યા વિના છૂટકે નથી.
કેવળ ઉચ્ચારને આધારે જોડણી નક્કી કરાતી નથી તેનાં કારણ નીચે પ્રમાણે છે –
(૧) જ્યાં અકાર શાન્ત છે ત્યાં તે લખીએ નહિ તે ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય.
અકાર ક્યાં ક્યાં શાન્ત છે? તે નીચેને સ્થળે શાન્ત
(અ) શબ્દને અને અને સમસ્ત પદના અવયને અન્ત, તેમજ પ્રત્યય પર છતાં અંગને અન્ત આવેલે અકાર શાન્ત છે.
શબ્દને અન્ત–માણસ; ઘર; કુળ
સમાસને અવયવને અન્ત–રાજપુરુષ, દેવમંદિર ઘરકારભાર
અંગને અન્ત–લખશે લખતે લખનાર; મેળવણ પર વડવું પિરસવું સુધારવું
(આ) ત્રિસ્વરી શબ્દમાં વચ્ચે “અ” હોય ને અન્ત “અ” ન હોય તે વચલે “અ શાન્ત છે.
દાખલા-કુતરે ચલણ વાડકે; પિોટલું કપડું લખશે; લખત; પણ પાપડ, કાપડ; માણસ, લખત | () ચતુઃસ્વરી શબ્દમાં બીજે ને એથે “અ” શાન્ત છે.