Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - ઉત્તર : સત્ નું જ્ઞાન કેઈ વાર ગુણની મુખ્યતાથી કરવામાં આવે છે કઈ વાર પર્યાયની મુખ્યતાથી કરવામાં આવે છે એ પ્રમાણે સત્ ના અંશની કલ્પના કરવામાં આવી છે વસ્તુદ્રષ્ટિએ તે સદશ પમિણમન અને વિસદશ પરિણમનમાં વર્તતે એ એક અખંડ પદાર્થ છે.
પ્રશ્ન ૪૦ : અવગ્રહ આદિ ચાર પ્રકારના મતિજ્ઞાન કેટલા પ્રકારે છે ?
ઉત્તર : અવગ્રહ આદિ મતિજ્ઞાન ૧૨-૧૨ પ્રકારે છે. જેમ કે (૧) બહુઅવગ્રહ (૨) એક અવગ્રહ (૩) બહુવિધ અવગ્રહ (૪) એક વિધ અવગ્રહ (૫) ક્ષિપ્ર અવગ્રહ (૬) અક્ષિપ્ર અવગ્રહ (૭) અનિઃસૃત અવગ્રહ (૮) નિઃ મૃત અવગ્રહ (૯) અનુક્ત અવગ્રહ (૧૦) ઉક્ત અવગ્રહ (૧૧) ધ્રુવ અવગ્રહ (૧૨) અધ્રુવ અવગ્રહ
પ્રશ્ન ૪૧ : બહુઅવગ્રહ જ્ઞાન કેને કહે છે?
ઉત્તર : બહુ પદાર્થોનું એક સાથે અવગ્રહ જ્ઞાન કરવું તે બહુ અવગ્રહ જ્ઞાન છે જેમ કે પાંચે આંગળીઓનું એક સાથે જ્ઞાન.
પ્રશ્ન ૪૨ ઃ એક અવગ્રહ કેને કહે છે?
ઉત્તર : એક જ પદાર્થના ગ્રહણ કરવાને એક અવગ્રહ કહે છે તે પ્રશ્ન ૪૩ : બહુવિધ અવગ્રહ કેને કહે છે?
ઉત્તર : બહુ પ્રકારના પદાર્થોના અવગ્રહને બહુવિધઅવગ્રહ કહે છે.
પ્રશ્ન ૪૪ : એક વિધ અવગ્રહ કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org