Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અથવા જે વડે પિતે લેટાના ગેળા જે ભારે થઈ નીચે ન પડી જાય તેમ જ રૂના ફોતરાને જે હલકે થઈ અહીંતહીં ભ્રમણ ન કરતા રહે તેવા ગુણવિકાસને અગુરુલઘુત્વ ન હલકો ન ભારે) કહે છે.
પ્રશ્ન ૩૩ : આ અગુરુલઘુત્વ કેવી રીતે પ્રગટ થયું?
ઉત્તર : સર્વ જીવોમાં એક સ્વરૂપે રહેલાં નિજ મૈતન્ય સામાન્ય સ્વરૂપની અભેદ ઉપાસના કરી તેના ફળસ્વરૂપે આ અગુરુલઘુત્વ પ્રગટ થયું.
પ્રશ્ન ૩૪: આ આઠેય ગુણે ટૌકાલિક તે નથી, કઈ એક સમયથી જ પ્રગટ થયા છે, તે તેમને ગુણ કેમ કહેવાય?
ઉત્તર ઃ આ આઠેયની ઉત્પત્તિ કોઈક સમયે થઈ તેથી આ પર્યા છે. અહીં ગુણ શબ્દને અર્થ વિશેષતા છે. સિદ્ધોની વિશેષતા આ આઠ ગુણે દ્વારા બતાવવામાં આવી છે.
પ્રશ્ન ૩૫ : સિદ્ધ-ભગવાન છેલ્લા શરીરથી કાંઈક નાના કેમ હોય છે?
ઉત્તર : તેનાં બે કારણે છે :- (૧) શરીરના કાચા નખ, વાળ તથા ઉપરની સૂફમ-ચામડીમાં આત્મપ્રદેશ હોતા નથી, તેથી શરીરથી મુક્ત થતાં, જેમાં નખ, વાળ અને ચામડી હતા, તેવા પૂર્વ શરરીથી કાંઈક ન્યૂન અવગાહના હોય છે. (૨) સગ કેવળીના અંતિમ સમયમાં શરીર અને અંગે પાંગ નામ કર્મને ચુછેદ થાય છે તેથી અગ કેવળીના પ્રથમ સમયમાં જ નાસિકા વગેરે છિદ્રો (ખાલી જગ્યાઓ) સમાપ્ત થઈ જાય છે, તે કારણથી કાંઈક (અવગાહનાનું) જૂનપણું હોય છે. આ જ ન્યૂનપણું સિદ્ધભગવાનની પ્રદેશ અવગાહનામાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org