Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१९४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આકાશના બરાબર મધ્યભાગમાં કાકાશ છે. આખા આકાશમાં એક જ બ્રહ્માંડ છે તેથી આકાશના મધ્યમાં બ્રહ્માંડ સિદ્ધ થાય છે. આ લોકાકાશની બધી બાજુએ આકાશ જ આકાશ છે.
પ્રશ્ન ઉ૦ : આકાશમાં અનંત પ્રદેશ છે તે કેમ માનવું?
ઉત્તર : આકાશના સમસ્ત પ્રદેશથી પણ અનંતગણું અવિભાગ પ્રતિરછેદવાળા કેવળજ્ઞાનમાં તેમ જણાયું અને દિવ્યધ્વનિમાં પ્રગટ થયું. તેથી આકાશ અનંતપ્રદેશ છે એમ નિ:સંદેહ શ્રદ્ધવા ગ્ય છે.
પ્રશ્ન ૧૧ : આકાશના અનંત-પ્રદેશીપણામાં કઈ યુક્તિ છે?
ઉત્તર : કલ્પના કરે કે કઈ જગ્યાએ આકાશને અંત આવ્યું તે ત્યાંથી આગળ કોઈ પિલાણ છે કે ભરેલું છે ? જે કઈ વસ્તુ આવી તે તેને પછી પિલાણું જ હોય અને જે પિલાણ હોય તો તે પિલાણ (ખાલી જગ્યા)થી તે આકાશને નિર્દેશ થાય છે. આકાશને કયાંય પણ અંત આવી શકતું નથી. તેથી આકાશના અનંત પ્રદેશ યુક્તિસિદ્ધ પણ થઈ જાય છે.
પ્રશ્ન ૧૨ : પ્રદેશને આકાર કે છે?
ઉત્તર : ખરેખર તે પ્રદેશ જ નહીં પણ સઘળું આકાશ પણ નિરાકાર જ છે, પરંતુ જે દ્રષ્ટિથી પ્રદેશ જાણવામાં આવ્યા તે દ્રષ્ટિએ વિચારતાં પ્રદેશ પરમાણુના આકારને સિદ્ધ થાય છે. પરમાણુ જે કે નિરવયવ છે છતાં બીજા પરમાણુઓના સંગથી તે સ્કંધરૂપ થાય છે તેથી અવયવસહિત પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org