Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५
३५५ રૈવેયકમાં નવ પટલ છે. ભવ્ય મિથ્યાષ્ટિ જીવ અને અભવ્યમિદષ્ટિ જી ગવેયક સુધીના દેવલોકમાં જન્મ લઈ શકે છે. પરંતુ અભવ્ય જીવ દક્ષિણેન્દ્ર, લોકાન્તિક દેવ, લોકપાલ કે પ્રધાન દિકપાલ થઈ શકતા નથી. ગ્રેવેયકમાં સાધુલિંગને ધારણ કરનારા તપસ્વી જીવે જ ઉત્પન્ન થઈ શકે છે પછી ભલે તેઓ દ્રવ્યલિંગી હોય કે ભાવલિંગી ગ્રેવેયકવાસી દેવે બધા અહમિન્દ્ર હોય છે.
પ્રશ્ન રપ : અનુદિશ વિમાનની રચના કેવી છે?
ઉત્તર : શ્રેયકથી ઉપર અનુદિશ છે. આમાં પટલ એક છે અને વિમાન નવ છે, એક મધ્યમાં અને આઠ દિશાઓમાં આઠ. આ વિમાનમાં સમ્યગૂદષ્ટિ મુનિઓ જ ઉત્પન્ન થઈ શકે છે. તેઓ બધા અહમિન્દ્ર હોય છે. તેમની આયુ ઓછામાં ઓછી એકત્રીસ અને વધુમાં વધુ બત્રીસ સાગરની હોય છે.
પ્રશ્ન ૨૫૩: અનુત્તર વિમાનની રચના કેવી છે?
ઉત્તર : અનુદિશથી ઉપર અનુત્તર વિમાને છે. આમાં પટલ એક છે અને વિમાને માત્ર પાંચ છે. મધ્યમાં તે સર્વાર્થસિદ્ધિ નામનું વિમાન છે. પૂર્વમાં વિજ્ય, દક્ષિણમાં વૈજ્યન્ત, પશ્ચિમમાં જ્યન્ત અને ઉત્તરમાં અપરાજિત વિમાન છે. સર્વાર્થસિદ્ધિના દેવેનું આયુષ્ય તેત્રીસ સાગર હોય છે અને તેઓ મનુષ્યને એક ભવ પ્રાપ્ત કરીને મોક્ષ જાય છે. વિજ્યાદિક ચાર વિમાન દેવેનું આયુષ્ય ઓછામાં ઓછું બત્રીસ સાગર અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું હોય છે. તેઓ બે ભવાવતારી હોય છે અને બધા અહમિન્દ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org