Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૪ ૦૪
द्रव्यसंग्रह प्रभोत्तरी टीका
પ્રશ્ન ૭૭ : સમ્યગદ્રષ્ટિ જીવ મૃત્યુ બાદ કઈ કઈ ગતિમાં જાય?
ઉત્તર : સમ્યગદ્રષ્ટિ થયા પછી જે આયુને બંધ પડે તે સમ્યદ્રષ્ટિ નારકી મનુષ્યગતિમાં જન્મ લે છે, સમ્યગદ્રષ્ટિ દેવ મનુષ્યગતિમાં જન્મ લે છે, તિર્યંચ સમ્યગદ્ગષ્ટિ દેવગતિમાં જન્મ લે છે, સમ્યદ્રષ્ટિ મનુષ્ય દેવગતિમાં જન્મ લે છે. જે કે ઈ મનુષ્ય પહેલાં જ નરકાયુને બંધ કરી લીધું હોય અને પછી ઔપશમિક સમ્યકત્વ મેળવીને લાપશમિક સમ્યકત્વ ઉત્પન્ન કરે અથવા ક્ષાપથમિક સમ્યકત્વ ઉત્પન્ન કરીને ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરે છે તે સમ્યગદ્રષ્ટિ મનુષ્ય મૃત્યુ બાદ માત્ર પહેલી નરકમાં જ જાય નીચેની નરકમાં નહીં. આ પ્રશ્ન ૭૮ ઃ સમ્યકત્વની પ્રાપ્તિને સાક્ષાત્ ઉપાય શું છે?
ઉત્તર : ભૂતાઈનયથી તનું જાણવું તે સમ્યકત્વની પ્રાપ્તિને સાક્ષાત્ ઉપાય છે.
પ્રશ્ન ૭૯ : ભૂતાર્થનય શું છે?
ઉત્તર : કેઈ એક દ્રવ્યને અભિષકારક પદ્ધતિથી જાણીને અભેદદ્રવ્યની તરફ લઈ જવાવાળા અભિપ્રાયને ભૂતાર્થનય કહે છે.
પ્રશ્ન ૮૦ : સમ્યકત્વ કેની સમીપ થાય છે?
ઉત્તર : ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વ તે કઈ પણ સ્થળે થઈ શકે, તેને કાંઈ નિયમ નથી, પરંતુ ક્ષાયિક સમ્યકત્વ કેવળી કે શ્રુતકેવળીની સમીપે થાય છે. આ પ્રશ્ન ૮૧ : શું ક્ષાયિક સમ્યકત્વ કેવળીદ્રયની સમીપતા વિના ન થઈ શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org