Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१७४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર જે સમયને જ સમય માનવામાં આવે તે સમય તે ધ્રુવ નથી, એક ક્ષણે ઉત્પન્ન થઈ બીજા ક્ષણે નષ્ટ થાય છે, તેથી સમય પર્યાય સિદ્ધ થઈ હવે તે સમય કયા દ્રવ્યની પર્યાય છે? જે દ્રવ્યની તે પર્યાય છે તેને જ કાળદ્રવ્ય કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન ૧૫ : કાળદ્રવ્ય તે બીજા સર્વ પદાર્થોની પરિકૃતિનું નિમિત્ત કારણ છે, તે કાળદ્રવ્યની પરિણતિનું નિમિત્ત કારણ કયું છે?
ઉત્તર : કાળદ્રવ્યની પરિણતિનું નિમિત્ત કારણ તે કાળદ્રવ્ય છે, જેમ કે બધા પદાર્થોના અવગાહનને હેતુ આકાશ છે અને આકાશના અવગાહનને હેતુ આકાશ સ્વયં છે.
પ્રશ્ન ૧૬ : સમયનું ઉપાદાનકારણ પરમાણુનું ગમન છે કાળ નહિ?
ઉત્તર : સમયનું ઉપાદાન કારણ જે પરમાણુ હોય તે પરમાણુના રૂપ, રસ આદિ સમયમાં હોવા જોઈએ, પરંતુ તે તો નથી. તેથી સમયનું ઉપાદાન કારણ પરમાણુ નથી.
પ્રશ્ન ૧૭ : મીનીટનું ઉપાદાનકારણ તે ઘડીયાળના મીની ટવાળા કાંટાનું એક ચક્કર ફરવું તે પ્રત્યક્ષ દેખાય છે?
ઉત્તર ઃ ઘડીયાળને કાંટો મીનીટનું કારણ નથી. કાંટાની તે ક્રિયા તે તેટલા સમયને સંકેત કરવાની છે. જે કાંટાની પર્યાય મીનીટ હોય તે કાંટાના રૂપ, રસ વગેરે તેમાં હોવા જોઈએ, કારણ કે કાર્ય ઉપાદાનકારણ એવું જોવામાં આવે છે.
અત્યક્ષ દેખાય છે?
કાંટાની તે
કિયાળને કાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org