________________
મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ
<
तच्छाखायां नभश्चारिमिथुनस्य कथंचन । विश्रान्तस्य मिथो जल्पप्रक्रमे रमणोऽब्रवीत् ।। नात्रैष गौः स्वभावेन किन्तु वैगुण्यतोऽजनि । पत्नी प्रतिबभाषे सा पुनर्नाऽसौ कथं भवेत् ।। मूल्यन्तरोपयोगेन क्वास्ते ? साऽस्य तरोरधः । श्रुत्वैतत्सा पशोः पत्नी पश्चात्तापितमानसा ।। अभेदज्ञा ततश्चारिं सर्वां चारयितुं तकम् । प्रवृत्ता मूलिकाऽऽभोगात्सद्योऽसौ पुरुषोऽभवत् ।। अजानाना यथा भेदं मूलिकायास्तया पशुः । चारितः सर्वतश्चारिं पुनर्नृत्वोपलब्धये ।। तथा धर्मगुरुः शिष्यं पशुप्रायं विशेषतः । प्रवृत्तावक्षमं ज्ञात्वा देवपूजादिके वि सामान्यदेवपूजादौ प्रवृत्तिं कारयन्नपि । विशिष्टसाध्यसिद्ध्यर्थं न स्याद्दोषी मनागपि ।। इति ।
૭૯
*
विपक्षे बाधमाह – न=नैव, अन्यथा = चारिसञ्जीवनीचारन्यायमन्तरेण, अत्र = देवपूजनादौ प्रस्तुते, इष्टसिद्धिः विशिष्टमार्गावताररूपा स्याद् = भवेत् । अयं चोपदेशो यथा येषां दातव्यस्तदाह-विशेषेण = सम्यग्दृष्ट्याद्युचितदेशनापरिहाररूपेण, आदिकर्मणाम् = प्रथममेवारब्धस्थूलधर्माचाराणाम् । ते ह्यत्यन्तमुग्धतया कंचन देवता
લઈ જવા લાગી. એક વખત તે વડની નીચે આરામ કરતો હતો ત્યારે તે જ વડની શાખા પર કોઈક કારણે અટકેલા વિદ્યાધર યુગલના પરસ્પર વાર્તાલાપમાં પતિ બોલ્યો “આ બળદિયો સ્વાભાવિક નથી પણ વિકૃતિથી થયેલો છે’ ત્યારે તેની પત્ની બોલી કે “એ ફરીથી પુરુષ શી રીતે બને ?’’ પતિ બોલ્યો “બીજી મૂલિકાના પ્રયોગથી” પત્નીએ પૂછ્યું “એ અન્યમૂલિકા ક્યાં છે ?” પતિએ જવાબ આપ્યો કે “આ વૃક્ષની નીચે” આ વાર્તાલાપ સાંભળી પશ્ચાત્તાપવાળી થયેલી અને વિવિધ વનસ્પતિઓના ભેદને નહિ જાણનાર (અને તેથી જ કઈ વનસ્પતિ પોતાને ઉપયોગી છે તે પણ ન જાણનાર) એવી બળદિયાની તે પત્નીએ ત્યાં રહેલ બધી વનસ્પતિઓ બળદિયાને ચરાવવી શરૂ કરી. એમ કરતાં જરૂરી મૂલિકાનો ઉપયોગ થવા માત્રથી તે તુરંત પુરુષ બની ગયો. એમ ધર્મગુરુ વિશેષે કરીને પશુ જેવા મંદબુદ્ધિ શિષ્યને વિશિષ્ટ દેવપૂજાદિ વિધિની પ્રવૃત્તિમાં અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્યની સિદ્ધિ કરવા સામાન્ય દેવપૂજાદિમાં પ્રવર્તાવે તો લેશ પણ દોષ પામતા નથી. આવા ‘ચારિસંજીવનીચાર' ન્યાયે આવો સર્વદેવોને નમસ્કાર કરવાનો ઉપદેશ અપાય છે. એ ન્યાયનો જો ઉપયોગ ન કરાય તો આ પ્રસ્તુત દેવપૂજનાદિ અંગેની વિશિષ્ટમાર્ગમાં અવતરણ થવા રૂપ ઇષ્ટસિદ્ધિ થાય જ નહિ. અર્થાત્ વિશિષ્ટદેવાદિને ઓળખવાની તાકાત વિનાના જીવને સામાન્યદેવાદિની પૂજામાં પણ જોડવાનો જો ન હોય તો વિશિષ્ટદેવાદિને પણ અન્ય સામાન્યદેવાદિને તુલ્ય માની સામાન્યદેવ તરીકે પિછાણતો એ ક્યારેય વિશિષ્ટ દેવને પણ પામી શકે નહિ અને તેના પૂજનાદિ રૂપ વિશિષ્ટમાર્ગમાં આવી શકે નહિ. આ સર્વદેવને નમસ્કાર કરવાનો ઉપદેશ જેઓને જે રીતે આપવો તે જણાવવા કહે છે - જે દેશના સમ્યગ્દષ્ટિ વગેરેને ઉચિત હોય તેને વર્જવા રૂપ વિશેષ કાળજી રાખવા પૂર્વક, સ્થૂલ ધર્મઆચારોને નવા નવા જ જેઓએ શરૂ કર્યા છે તેઓને આ સર્વદેવને નમસ્કારાદિ કરવાનો ઉપદેશ આપવો, કેમકે અત્યન્ત મુગ્ધ હોવાના કારણે કોઈપણ