________________
માર્ગનુસારિતાનો કાળ : ચરમપુગલપરાવર્ત
૧૦૫ मग्गाणुसारिभावोत्ति । भवाभिनन्दिना दोषाणां क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ।। (योगदृष्टि० ७६, योगबिन्दु० ८७) इति श्लोकोक्तानां, विगमे सति गुणवृद्ध्या चरमे पुद्गलपरावर्त एव मार्गानुसारिभावो भवति, अपुनबंधकादेर्मार्गानुसारिप्रौढप्रज्ञाऽनुगतत्ववचनात्, तस्य चैतावत्कालमानत्वात् । अत एव वचनौषधप्रयोगकालश्चरमपुद्गलपरावर्त्त एवोक्तो व्यवहारतः, निश्चयतस्तु ग्रन्थिभेदकालः, तत्रापि ग्रन्थिभेदकाल एव न्यूनत्वेन पुरस्कृतः । तथा चोपदेशपदसूत्रवृत्ती (४३२-४३३) - घणमिच्छत्तो कालो एत्थ अकालो उ होइ णायव्वो । कालो उ अपुणबंधगपभिई धीरेहिं णिद्दिवो ।। णिच्छयओ पुण एसो विनेओ गंठिभेअकालो उ । एयंमि विहिसयपालणाउ आरोग्गमेयाओ ।।
घनं महामेघावलुप्तसकलनक्षत्रादिप्रभाप्रसरभाद्रपदाद्यमावास्यामध्यभागसमुद्भूतान्धकारनिबिडं मिथ्यात्वं= तत्त्वविपर्यासलक्षणं यत्र स तथा, कालः चरमपुद्गलपरावर्त्तव्यतिरिक्तशेषपुद्गलपरावर्त्तलक्षणोऽत्र-वचनौषध
“ભવાભિનંદી જીવ શુદ્ર, માંગણીયો, હંમેશાં દીન, મત્સરી, ભયભીત, શઠ, મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વના અભિનિવેશના કારણે નિફ્લારંભી હોય છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થના આ ૭૬માં શ્લોકમાં કહેલા ભવાભિનંદી દોષોનો નાશ થયે છતે ગુણવૃદ્ધિ થવા દ્વારા ચરમપુદ્ગલ પરાવર્તમાં જ માર્ગોનુસારિભાવ પેદા થાય છે. કેમ કે માર્ગાનુસારિતાને પ્રાયોગ્ય જે પ્રૌઢ પ્રજ્ઞા જોઈએ તે અપુનબંધકાદિમાં જ હોવી કહી છે. અને અપુનબંધક વગેરેનો કાલ તો આટલો (ચરમાર્વત જેટલો) જ છે. આમ આ કાલમાં જ અપુનબંધકપણામાં પ્રૌઢ પ્રજ્ઞા આવતી હોવાથી જ વચનૌષધપ્રયોગકાલ (જિનવચનોને અનુસરીને વર્તવું એ વચનૌષધપ્રયોગ. તેની ધારી ગુણકર અસર જેમાં થાય તેવો પાકી ગયેલો કાલ) પણ વ્યવહારથી ચરમપુદ્ગલ પરાવર્ત જ કહ્યો છે, અને નિશ્ચયથી ગ્રન્થિભેદકાલ કહ્યો છે. આ બેમાંથી પણ પરિપૂર્ણતયા યોગ્ય હોવા રૂપે (અથવા અલ્પકાળમાં ધારી અસર ઉપજાવનાર હોવાના કારણે) ગ્રન્થિભેદ કાલ જ તેના કાલ તરીકે મુખ્ય કરાયો છે. શ્રી ઉપદેશપદસૂત્રમાં કહ્યું છે કે “અહીં વચનૌષધપ્રયોગ માટે ગાઢ મિથ્યાત્વનો કાલ અકાલ જાણવો. અપુનબંધક વગેરે અવસ્થાનો કાલ જ ધીરપુરુષો વડે કાલ તરીકે કહેવાયો છે. વળી નિશ્ચયથી તો ગ્રન્થિભેદકાલ જ એ કાલ તરીકે જાણવો, કેમ કે એ પછી જ સદા વિધિપૂર્વક પાલન થવાથી વચનૌષધપ્રયોગ આરોગ્ય બક્ષે છે.” આની વૃત્તિમાં પણ કહ્યું છે કે જેમાં કાળા ભમ્મર વાદળાઓના કારણે બધા નક્ષત્રો વગેરેનો પ્રકાશ નષ્ટ થઈ ગયો છે તેવી ભાદરવા મહિના વગેરેની અમાસની મધ્યરાત્રિએ છવાયેલા ગાઢ અંધકાર જેવા તત્ત્વવિપર્યાસાત્મક ગાઢ મિથ્યાત્વવાળો
१. घनमिथ्यात्वः कालोऽत्राकालस्तु भवति ज्ञातव्यः । कालश्चापुनर्बन्धकप्रभृतिधीरैर्निर्दिष्टः॥ निश्चयतः पुनरेषो विज्ञेयो ग्रन्थिभेदकालस्तु । एतस्मिन् विधिना सदा पालनया आरोग्यमेतस्माद् ॥