________________
અનુમોદના-પ્રશંસા વિચાર
૨૦૯
तद्दोषानुमतिपर्यवसायकमिति मिथ्यादृष्टिगुणप्रशंसात्यागस्तवाभिमतस्तदाऽविरतसम्यग्दृष्टेः सम्यक्त्वादिगुणप्रशंसाऽप्यकर्त्तव्या स्यात्, तद्गताविरतिदोषज्ञानात्तस्यास्तदनुमतिपर्यवसानात् ।
<0
अथाविरतसम्यग्दृष्ट्यादावविरत्यादेर्न स्फुटदोषत्वं, स्फुटदोषप्रतिसन्धानमेव च तद्गतप्रशंसाया दोषानुमतिपर्यवसानबीजम्, अत एव शैलकराजर्षिप्रभृतीनां पार्श्वस्थत्वादिस्फुटदोषप्रतिसन्धाने हीलनीयत्वमेवोक्तं शास्त्रे, न तु गुणसामान्यमादाय प्रशंसनीयत्वं, तत्कालीनतत्प्रशंसाया दोषानुमतिरूपत्वाद्, इत्यविरतसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिगुणानुमोदने न दोष इति चेत्, तर्हि मार्गानुसारिणां मिथ्यादृशां मिथ्यात्वमपि न स्फुटो दोषः, तत्त्वेतरनिन्दनाद्युपहितप्रबलमिथ्यात्वस्यैव स्फुटदोषत्वादिति तद्गतगुणप्रशंसायामपि न दोषः । अवश्यं चैतदित्थं प्रतिपत्तव्यं, अन्यथा मेघकुमारजीव - हस्तिनोऽपि दयागुणपुरस्कारेण प्रशंसाऽनुपपत्तिरिति । अन्यतीर्थिकपरिगृहीतत्वं चार्हत्प्रतिमाया
તેનામાં રહેલા ગુણોની પ્રશંસાને તેના તે દોષની અનુમોદના રૂપે પરિણમાવી દેતું હોય અને તેથી મિથ્યાત્વીના ગુણોની પ્રશંસા કરવી ન જોઈએ, એવો તમારો અભિપ્રાય હોય તો આપત્તિ એ આવશે કે અવિરતસમ્યક્ત્વીના સમ્યગ્દર્શનાદિ ગુણોની પણ પ્રશંસા કરી શકાશે નહિ, કેમ કે તેનામાં રહેલ અવિરતિ દોષના જ્ઞાનથી તે પ્રશંસા પણ અવિરતિ દોષની અનુમોદનારૂપે પરિણમવાની છે.
શંકાઃ અવિરત સમ્યક્ત્વી વગેરેમાં રહેલ અવિરતિ વગેરે વ્યક્તદોષ નથી. જ્યારે ગુણોની પ્રશંસાને દોષની અનુમોદનામાં ફલિત કરવાનું નિમિત્ત તો વ્યક્ત દોષનું અનુસંધાન જ બને છે. તેથી જ તો શૈલકરાજર્ષિ વગેરેમાં પાસસ્થાપણા વગેરે વ્યક્તદોષનું અનુસંધાન થયા પછી તેઓ હીલનીય હોવા જ શાસ્ત્રમાં કહ્યા છે, નહિ કે બીજા સામાન્ય ગુણોને આગળ કરીને પણ પ્રશંસનીય હોવા, કેમ કે સ્ફુટ દોષના પ્રતિસંધાનકાલે થયેલી તેમની પ્રશંસા એ તે દોષની અનુમોદનારૂપ છે. તેથી અવિરતસમ્યક્ત્વીના સમ્યક્ત્વ વગેરે ગુણોની અનુમોદના કરવામાં તેના અવ્યક્ત અવિરતિદોષ વગેરેની અનુમોદના થઈ જવા રૂપ દોષ થતો નથી.
(માર્ગાનુસારીના ગુણોની અનુમોદના મિથ્યાત્વની અનુમોદનામાં ન પરિણમે)
સમાધાન ઃ એ રીતે માર્ગાનુસારી મિથ્યાત્વીઓનું મિથ્યાત્વ પણ કાંઈ વ્યક્ત દોષ નથી કે જેથી તેના ગુણોની પ્રશંસા મિથ્યાત્વદોષની અનુમોદનામાં પરિણમે. સુદેવાદિતત્ત્વની નિંદાથી અને કુદેવાદિ અતત્ત્વની પ્રશંસાથી યુક્ત પ્રબળ મિથ્યાત્વ જ વ્યક્ત દોષરૂપ છે, જે માર્ગાનુસારીમાં હોતો નથી. “આમ માર્ગાનુસારી જીવોના ગુણોની પ્રશંસામાં કોઈ દોષ લાગતો નથી.” એવું માનવું આવશ્યક પણ છે જ, કેમકે નહીંતર તો મેઘકુમારના જીવ હાથીની પણ દયા વગેરેને આગળ કરીને કરાયેલી પ્રશંસા અસંગત થઈ જાય. “અન્યતીર્થિકથી પરિગૃહીત હોવાપણું એ જિનપ્રતિમા માટે જેમ વ્યક્તદોષરૂપ બની જાય છે.