________________
શુક્લપાલિક-કૃષ્ણપાક્ષિક વિચાર
૨૨૭ सकामा' 'तद्विपरीता त्वकामा' इति हि सकामाकामयोर्निर्जरयोर्लक्षणम् । तदुक्तं योगशास्त्रवृत्ती (૪-૮૬) –
"सा निर्जरा द्वेधा, सह कामेन='निर्जरा मे भूयाद्' इत्यभिलाषेण, युक्ता सकामा, न त्विहलोकपरलोकफलादिकामेन युक्ता, तस्य प्रतिषिद्धत्वात्। यदाहुः - 'नो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नो कित्तीवण्णसद्दसिलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठिज्जा' इत्यादि इत्येका निर्जरा, द्वितीया तु कामवर्जिता=कामेन पूर्वोक्तेन वर्जिता" इति ।
न च वाच्यं 'ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् ।।८७।।' इत्यनेन योगशास्त्रस्यैव वचनान्तरेण यतीनामेव सकामा निर्जरा सिध्यति, मिथ्यादृशां तु कर्मक्षयाद्यर्थं तपःकष्टं तन्वतामप्यकामैव इति, 'ज्ञेया सकामा यमिनां' इत्यादिवचनस्योत्कृष्टसकामनिर्जरास्वामिकथनपरत्वाद्, उत्कृष्टा हि सकाम
એવી ઇચ્છાથી સ્વયોગ્ય શીલ-તપ વગેરે સઅનુષ્ઠાન કરવાવાળા મિથ્યાત્વીઓને સકામ નિર્જરા થાય છે. એટલે કે તેઓનું તે અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ બને જ છે. કારણ કે “મોક્ષાભિલાષરૂપ કામ (ઇચ્છા)થી જે યુક્ત હોય તે સકામનિર્જરા અને તેનાથી વિપરીત હોય તે અકામનિર્જરા” એવા જ સકામ-અકામનિર્જરાના લક્ષણ છે જેમાંથી ઉક્ત મિથ્યાત્વીમાં સકામનિર્જરાનું લક્ષણ ઘટી જાય છે. યોગશાસ્ત્રની વૃત્તિ (૪-૮૬) માં કહ્યું છે કે તે નિર્જરા બે પ્રકારે “મને નિર્જરા થાઓ એવી અભિલાષાયુક્ત હોય તે સકામ. આમાં ઈહલોક-પરલોક સંબંધી ફળ વગેરેની ઇચ્છા ન હોવી જોઈએ. કેમ કે તેવી ઇચ્છાવાળા તપનો નિષેધ કર્યો છે. જેમ કે કહ્યું છે કે “આ લોક માટે તપ ન કરવો, પરલોક માટે તપ ન કરવો, કીર્તિ, વર્ણવાદ, શ્લાઘા-પ્રશંસા માટે તપ ન કરવો, નિર્જરાની ઇચ્છા સિવાય બીજાની ઈચ્છાથી તપ ન કરવો.” આ એક નિર્જરા થઈ. આવા “નિર્જરાની ઇચ્છા” રૂપ કામથી વર્જાયેલી નિર્જરા તે બીજી અકામનિર્જરા.”
(“યા સકામા યમિના'નું તાત્પર્ય) યોગશાસ્ત્રના જ (૪-૮૭) “સાધુઓને સકામનિર્જરા જાણવી. અન્ય જીવોને અકામ.' ઇત્યાદિ બીજા વચનથી સિદ્ધ થાય છે કે સાધુઓને જ સકામનિર્જરા હોય, મિથ્યાત્વીઓ તો કર્મક્ષયાદિ માટે તપનું કષ્ટ ઉપાડતા હોય તો પણ અકામનિર્જરા જ કરે છે. તો તમે કેમ પ્રકૃતિભદ્રક મિથ્યાત્વીને સકામનિર્જરા કહો છો?” એવી શંકા ન કરવી. કારણ કે “સાધુઓને સકામનિર્જરા જાણવી' ઇત્યાદિ વચન સામાન્યથી સકામનિર્જરાના સ્વામીને જણાવવાના તાત્પર્યમાં નથી કહેવાયું, પણ ઉત્કૃષ્ટ સકામનિર્જરાના સ્વામીને જણાવવાના તાત્પર્યમાં કહેવાયું છે. ઉત્કૃષ્ટ સકામનિર્જરા સાધુઓને જ હોય છે. જો એ વચનનું આવું
१. नेहलोकार्थं तपोऽधितिष्ठेत, न परलोकार्थं तपोऽधितिष्ठेत, न कीर्तिवर्णशब्दश्लाघार्थ तपोऽधितिष्ठेत, नान्यत्र निर्जरार्थं तपमधितिष्ठेत् ।