________________
૨૪૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ परस्यासत्यबोधाभिप्रायेण न प्रयुक्तमिति नोत्सूत्रं, मरीचिना तु प्रकृतवचनं कपिलस्यासत्यबोधाभिप्रायेणैव प्रयुक्तम् । स ह्येवं ज्ञातवान् एतन्मद्वचनं कपिलस्य परिव्राजकदर्शने धर्मबुद्धिजनकं भविष्यतीत्येवमेवायं बोधनीय इति, कथमन्यथाऽस्य परिव्राजकवेषमयमदास्यद? इति महद्वैषम्यमिति चेत् ? हन्त तर्हि उत्सूत्रमेवेदं प्राप्तमिति गतमुत्सूत्रमिश्रेण, द्रव्यतोऽसत्यस्य किशलयपाण्डुपत्राधुल्लापरूपसूत्रवचनस्येव द्रव्यतः सत्यस्य प्रकृतवचनस्योत्सूत्ररूपस्यापि मिश्रत्वायोगात्, शुद्धाशुद्धद्रव्यभावाभ्यां मिश्रत्वाभ्युपगमे जिनपूजादावपि मिश्रपक्षाभ्युपगमप्रसङ्गाच्च । अथ देशविरत्य
પરિવ્રાજકદર્શનમાં ધર્મનો બોધ કરાવનાર બનવાથી તેની અપેક્ષાએ અસત્ય હતું તેમ સ્યાદ્વાદનું પ્રતિપાદન કરવા બોલાયેલું ભગવદ્વચન પણ પાખંડીઓને તો એકાન્તવાદનો જ બોધ કરાવનાર બનતું હોવાથી તેઓની અપેક્ષાએ તો અસત્ય હોવું ઠરે જ છે. - પૂર્વપક્ષઃ “પાખંડીઓને એકાન્તવાદનો અસત્યબોધ થાઓ” એવા અભિપ્રાયથી ભગવાન બોલતા નથી. માટે તેઓનું વચન ઉસૂત્રમિશ્ર બનતું નથી. જ્યારે મરીચિએ તો કપિલને અસત્યબોધ થાઓ એવા અભિપ્રાયથી જ ઉક્ત વચન કહ્યું હતું. તે એવું જાણતો હતો કે “મારું આ વચન કપિલને પરિવ્રાજક દર્શનમાં ધર્મ છે એવી બુદ્ધિ કરાવશે” અને “આ રીતે જ આને બોધ કરાવવો યોગ્ય છે. જો એનો આવો અભિપ્રાય ન હોત તો કપિલ જ્યારે ધર્મ લેવા તૈયાર થયો ત્યારે તેને દેશવિરતિ ધર્મ ન આપતાં પરિવ્રાજક વેષ શા માટે આપે ? માટે ભગવાનના વચન અને મરીચિના ઉક્તવચનમાં તો ઘણી વિષમતા હોઈ ભગવદ્વચન ઉસૂત્રમિશ્ર સિદ્ધ થતું નથી.
(વિપરીત એવા દ્રવ્ય-ભાવભાંગા ભળવા માત્રથી મિશ્રપણું ન આવે) ઉત્તરપક્ષ: જો આવા અભિપ્રાયથી જ મરીચિ એ વચન બોલ્યો હોત તો એ ઉત્સુત્ર જ સિદ્ધ થઈ ગયું, ઉસૂત્રમિશ્રની વાત તો ઊડી જ ગઈ. કહેવાનો ભાવ એ છે કે વચન જો તેના સીધા અર્થની અપેક્ષાએ સત્ય હોય તો દ્રવ્યસત્ય બને છે અને શુભ અભિપ્રાયથી યોગ્ય રીતે કહેવાયું હોય તો ભાવસત્ય બને છે. શાસ્ત્રમાં કિશલય-પાંડુપત્ર (નવા-જુના પાંદડા) વચ્ચે વાર્તાલાપ થયાની જે વાતો આવે છે તે દ્રવ્યથી અસત્ય હોવા છતાં ભાવથી સત્ય છે. તેમાં રહેલું દ્રવ્યઅસત્યત્વ જેમ એને મિશ્રવચનરૂપ બનાવી શકતું નથી, કિન્તુ સૂત્રવચનરૂપ જ રહેવા દે છે, તેમ દેશવિરતિરૂપ આંશિક ધર્મ હોવાના કારણે મરીચિના વચનમાં રહેલ દ્રવ્યસત્યત્વ તે વચનને મિશ્ર બનાવી શકતું નથી. કિન્તુ અસઅભિપ્રાયના કારણે આવેલ ભાવઅસત્યત્વના કારણે એને ઉત્સુત્ર જ બની જવા દે છે. બાકી શુદ્ધ કે અશુદ્ધ દ્રવ્યભાંગા સાથે અશુદ્ધ કે શુદ્ધ ભાવમાંગો ભળવાથી જ જો મિશ્રત્વ માની લેવાનું હોય તો જિનપૂજા વગેરેમાં પણ મિશ્રપક્ષ માનવાની આપત્તિ આવે. અર્થાત્ જિનપૂજા વગેરેમાં પણ દ્રવ્યહિંસા અને ભાવઅહિંસા હોઈ હિંસા (કે અહિંસા)ને મિશ્રરૂપે માનવાની આપત્તિ આવે.