Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 288
________________ કવિલા ઇત્યંપિ” વચનનો વિચાર ૨૪૫ परिज्ञानाभावात्कथञ्चिदनाभोगहेतुकमुत्सूत्रमिति वदतो माता च मे वन्ध्या चेति न्यायापात इति द्रष्टव्यम् । किञ्च तस्योत्सूत्राभोगो नासीदित्यपि दुःश्रद्धानं, व्युत्पन्नस्य तस्य तादृशास्पष्टवचनेऽप्युत्सूत्रत्वप्रत्ययावश्यकत्वाद् । न च साधुभक्तस्य तस्य तथोत्सूत्रभाषणमसंभव्येवेति शङ्कनीयं, कर्मपरिणतेर्विचित्रत्वाद् । अस्पष्टत्वं च तत्राभिमतानभिमतविधिनिषेधावधारणाऽक्षमत्वलक्षणं नोत्सूत्राभोगाभावात्, किन्त्वनभिमतनिषेधांशे देशविध्यारोपप्रयोजकतथाविधसङ्कलेशात् । अत एव स्फुटाप्ररूपणमप्यस्यास्पष्टताऽऽख्यजातिविशेषशालिन्युत्सूत्रप्ररूपण एव पर्यवस्यति । तदुक्तं पाक्षिकसप्ततिकावृत्तौ - "उत्सूत्रप्ररूपणायाः संसारहेतुत्वात्," यथोक्तं - फुडपागडमकहंतो जहठ्ठियं बोहिलाभमुवहणइ । जह भगवओ विसालो जरामरणमहोअही आसि ।। त्ति । (उप. माला १०६) किञ्च 'इहत्ति' देशविरत्यभिप्रायेणैवोक्तमिति कुतो निर्णीतम् ? उपदेशमालावृत्तौ 'कपिल ! इहान्यत्रापि' વચન કથંચિત્ અનાભોગ પ્રયુક્ત ઉસૂત્ર હતું. (તેથી અનંતસંસાર ફળક ન બન્યું.)” આવું કહેનારે તો સમજી લેવું જોઈએ કે પોતે “મારી મા વાંઝણી છે” એવું બોલી રહ્યો છે, કેમ કે “વિપરીત બોધ કરાવશે” એવું જાણ્યા પછી તાદશ ખ્યાલ ન આવવો એ વિરુદ્ધ વાત છે. વળી તેને ઉસૂત્રનો ખ્યાલ નહોતો' એ વાત તો મગજમાં જ બેસે તેવી નથી, કેમકે અગ્યાર અંગ ભણવાથી વ્યુત્પન્ન થયેલા તેને તેવા અસ્પષ્ટ વચનમાં પણ ઉત્સુત્રપણાનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ. “સાધુઓના ભગત એવા તેનું ભાષણ ઉત્સુત્ર હોવું સંભવતું નથી.” એવી શંકા ન કરવી, કારણ કે કર્મપરિણતિ વિચિત્ર હોય છે. અર્થાત્ ગમે તેવાને તે ભૂલથાપ ખવડાવી દે છે. | (સંક્લેશ પ્રયુક્ત અસ્પષ્ટપ્રરૂપણા એ પણ ઉત્સુત્રપ્રરૂપણા) વળી કયા અભિમત અંશનું વિધાન છે? અને કયા અનભિમત અંશનો નિષેધ છે? એવો નિર્ણય ન થઈ શકવા રૂપ અસ્પષ્ટપણે તેના વચનમાં જે હતું તે “તેને ઉસૂત્રનો ખ્યાલ નહોતો' એ કારણે નહિ, પણ અનભિમત (પરિવ્રાજકવેષ)ના નિષેધ અંશમાં પણ આંશિકવિધાન જેનાથી થઈ જાય તેવા સંક્લેશના કારણે જ હતું. તેથી જ તેનું આ અસ્પષ્ટ પ્રરૂપણ પણ અસ્પષ્ટતા નામની વિશેષ પ્રકારની જાતિવાળા ઉસૂત્ર પ્રરૂપણમાં જ ફલિત થાય છે. આ વાત અમારા ઘરની નથી, કેમ કે પાક્ષિક સપ્તતિકા વૃત્તિમાં કહ્યું છે કે – “કેમકે ઉત્સુત્ર પ્રરૂપણા એ સંસારનો હેતુ છે.” વળી, ઉપદેશમાળા (૧૦૬) માં કહ્યું છે કે “સ્પષ્ટ પ્રકટ રીતે યથાસ્થિતપણે ન કહેતો વક્તા બોધિલાભને હણી નાખે છે. જેમ કે એવા વચનના કારણે પ્રભુ મહાવીરનો જરા-મરણના સમુદ્ર રૂપ સંસાર વિશાળ હતો(વધ્યો.)” १. स्फुटप्रकटमकथयन् यथास्थितं बोधिलाभमुपहन्ति । यथा भगवतो विशालो जरामरणमहोदधिरासीत् ।

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332