Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८
શ્રુત ભકિત (પૂ આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર) દ. સં. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
તા. ૨૩-૬-૧૬ શાહપુર, અમદાવાદ, આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપજ્ય, જ્ઞાન દિવાકર ૫. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થકર ભગવાન મહાવીરેને અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરોધ, સ્વપર કલયાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે. તેઓશ્રી પ્રાચીન, પીત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે અને જિન વાને પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગોરવ અને આનંદને વિષય છે.
ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણું રૂપ અક્ષરદેહ ગણધર મહારાજેએ શ્રુત પરંપરાએ સાચવી રાખે. શ્રુત પરંપરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્મૃત થવાને સમય ઉપસિથત થવા લાગે ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશમણે વભીપુર-વળામાં તે આગમેને પુસ્તક રૂપે આરૂઢ કયા આજે આ સિદ્ધાંતે આપણું પાસે છે. તે અર્ધ ભાગધી પાલી ભાષામાં છે. અત્યાર આ ભાષા ભગવાનની, દેવેની તથા જનગણની ધર્મ ભાષા છે. તેને આપણું શમણે અને શ્રમણીઓ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ મુખપાઠ કરે છે; પરંતુ તેને અર્થ અને ભાવ ઘણું ચેડાઓ સમજે છે.
જિનાગમ એ આપણું શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્ર છે. એ આપણી આંખે છે. તેને અભ્યાસ કરે એ આપણી સૌની–જેન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપ સમજાવવા માટે આપણું સદ્ભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સક કર્યો છે અને તે લિખિત સૂત્રને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમીતી દ્વારા જ્ઞાન પરબ વહેતા કરી છે. આવા અનુપમ કાર્યમાં સકળ જેને સહકાર અવશ્ય હો ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્નો કરવા ઘટે.
ભ૦ મહાવીરને ગણધર ગોતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ભગવાને તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી જીવેના અજ્ઞાનને નાશ થાય છે. અને તેઓ સંસારના કલેશોથી નિવૃત્તિ મેળવે છે. અને સંસાર કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈન, દિગંબરે અને અન્ય ધર્મીઓ હજારે અને લાખ રૂપિયા ખર્ચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડે નહિ પણ હજારે ટીકા છે દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે, ઈસાઈ ધર્મના પ્રચારકે તેમના પવિત્ર ધર્મ ગ્રન્થ બાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સર્વ ભાષાઓમાં ભાષાંતર કરી, તેને પડતર કરતાં પણ ઘણી ઓછી કિંમતે વેચી ધમ.