________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચોર્યાસીમી
દેવકુલિકામાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત્ત છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રીં ગોડીજી પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ Ø હ Ø ગોડીજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને મંત્ર-જાપ કરવા. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા. મંત્ર-આરાધનાથી સુખ-વૈભવમાં વધારો થાય છે તેમજ માનસિક ચિંતાઓ દૂર થાય છે.
| સંપર્કઃ શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન મંદિર શ્રી આત્માનંદ જૈન મહાસભા બજાર કર્યા, હનુમાન ચોક,
મુ.પો. જલંધર (પંજાબ) ફોનઃ (૦૧૮૧) ૨૪૦૫૬૭૪
શ્રી ગોડીજી પાર્શ્વનાથ