________________
એકાદશીની કથા રચી હતી.
જાણવા મળતી હકીકતો મુજબ આ જિનાલયમાં સોળમા સૈકા પહેલાં મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથ તરીકે જાણીતા હતા ત્યારપછી શ્રી ગોડીજી પાર્શ્વનાથ કહેવાયા. કેટલાક પ્રમાણો દ્વારા એવું જાણવા મળે છે કે “જગન્નાથ પ્રસાદે’ શબ્દોથી આ પ્રતિમાજી ઓળખાતી હતી. આથી “શ્રી જગન્નાથ પાર્શ્વનાથ” કહેવાતા હોવાનું માનવામાં આવે છે.
કાળક્રમે આક્રમણખોરોની નજર આ પ્રાચીન નગરી પર લાગી જતાં જિનાલયોને ભારે નૂકસાન થયાનું માનવામાં આવે છે. વર્ષો પછી સિરોહીના સંઘને આ જિનાલયો વિષે જાણવા મળ્યું અને તરત જ તીર્થના જીર્ણોધ્ધારનું કાર્ય ઉપાડવામાં આવ્યું.
આ તીર્થનો વહીવટ શેઠ કલ્યાણજી પરમાણંદજીની પેઢી સંભાળી રહી છે. પ્રાચીન સમયમાં આ હમીરપુર હતું. આજે મીરપુરના નામથી ઓળખાય છે. આ નગરી, જિનાલય અને શ્રી હમીરપુરા પાર્શ્વનાથનો ઉલ્લેખ આચાર્ય ભગવંતો, કવિઓ અને મુનિઓની રચનાઓમાં જોવા મળે છે.
| વિશેષ જાણકારી (૧) આ જીનાલય મહારાજા સંપ્રતિ દ્વારા નિર્મિત થયું હોવાનું માનવામાં આવે છે. અહીંના સ્થંભો, ગુંબજો, શિખર ઉપરની કલા, હજાર-બારસો વર્ષથી પણ જુની છે. અહીંની કલા જોતાં આબુ, દેલવાડા, કુંભારિયાજીનું સ્મરણ થઈ આવે છે. આ તીર્થ એની પ્રાચીનતા, કલા અને અદ્વિતીય શાંત વાતાવરણમાં હોવાથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. છૂટા છવાયા અવશેષો પરથી આ એક પ્રાચીન, વિરાટ નગરી હશે એવું અનુમાન થાય છે. પ્રભુજીની પ્રતિમા ભવ્ય અને રૂવાબ વાળી છે. આજુબાજુ જીર્ણ મંદિરોના અવશેષો છે. આચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસૂરિશ્વરજી (પાર્જચંદ્ર ગચ્છ) મહારાજની આ જન્મભૂમિ છે. શિરોહીથી ૨૦ કિ.મી મન્ડાર જતાં રસ્તે ડાબી બીજુ ૩ કિ.મી. વળવાનું છે. સુંદર સ્થળ છે. શિરોહી રોડ ૩૭ કિ.મી. અને આબુરોડથી ૬૦ કિ.મી. ના 4
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૬