________________
મરુદેવા આંખોમાં હર્ષના આંસુ ઠાલવીને ગળગળા સ્વરે બોલ્યા : સંસારમાં પુત્રો માતાને પ્રણામ કરે પણ આજ માતા પુત્રને પ્રણામ કરે છે...ધન્ય છે...” તારું શાસન ધન્ય છે...”
એ સાથે જ કંઈક કડાકો થયો.
તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ, આઠ કર્મને ક્ષીણ કરીને માતા મરુદેવાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, તે જ વખતે આયુષ્ય પણ પૂર્ણ કર્યું. અલંકૃત કેવળી થઈ સ્વામિની મરુદેવા હસ્તી સ્કંદ પર આરૂઢ થયેલા મોક્ષપદને પામ્યા. આ અવસર્પિણીમાં મરુદેવા પ્રથમ સિધ્ધ થયા. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીર સમુદ્રમાં નિશ્ચિત કર્યું.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઋષદેવસ્વામીએ એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિહાર કર્યો.
- શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, પ્રથમ સાધ્વી બ્રાહ્મી, અધિષ્ઠાયક દેવ ગૌમુખ અને અધિષ્ઠાયિકા દેવી ચક્રેશ્વરી દેવી હતા. પોષ વદ૧૩ના અષ્ટાપદ પર શ્રી આદિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી આદિનાથ પ્રભુએ ૮૪ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. (વિમલ ધામી લિખિત “૨૪ તીર્થંકર' માંથી)
શાસનદેવી ચકેશ્વરી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં ગૌમુખયક્ષ અને યક્ષિણી ચક્રેશ્વરી દેવી શાસનદેવ અને શાસનદેવી તરીકે ઉત્પન્ન થયા હતા. આજે પણ તેમની આરાધના સ્વતંત્ર રીતે થાય છે. અને ભક્તોને ફળદાયી નીવડતી આવી છે.
યક્ષિણી ચક્રેશ્વરી દેવીનો વર્ણ સુવર્ણ છે. તેને આઠ હાથ અને ચાર મુખ છે. કોઈક જગ્યાએ આ દેવીની મૂર્તિને ચાર હાથ અથવા સોળ હાથ દર્શાવેલ છે. જયાં આઠ , અઓની કલ્પના છે ત્યાં તેમના જમણા હાથમાં વરદ મુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે. જ્યારે ડાબો હાથ ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશથી
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૨ .