________________
જો કોઈ તુમકુ ધ્યાવત (૨) અષ્ટસિધ્ધિ ધનપાતા, તુમ હી હો પાતાલ બસંતી, તુમ હી શુભદાતા, કર્મપ્રભાવ પ્રકાશ(૨) જગ નિધિ
માત જીસ પર ચોરી બાસે જાહિ મેં ગુણઆતા, કરન શકે સોકરલે (૨) ધન નહિ ધરતા. તુમ બીન ધરીન હોળ, વસ્ત્ર ન હોય રાતા, ખાનપાન કા વૈભવ, તુમ બીન કુળદાતા શુભગુણ સુંદર સુક્રતા, ક્ષીર નિધિજાતા, રત્ન ચતુર્દશ તો તુમ બિન કોઈ નરપાતા આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા, ઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા. રામ પ્રતાપ મૈયાકા શુભ દૃષ્ટિ ચાહતા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી લક્ષ્મીદેવી ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
શ્રી લક્ષ્મીદેવી
૨૯૬