________________
ભાવિકો જોડાયા હતા. દરેકનું સંઘપૂજન કરવામાં આવ્યું હતું.
વસ્તુપાળ – તેજપાળે પોતાના પરિવાર સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી સેવાપૂજા કરી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતિ જીર્ણ થઈ ગયેલું જોઈને વસ્તુપાળ તેજપાળે તે જિનપ્રસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો. તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ પર સોનાના કળશ ચડાવ્યાં.
આ વસ્તુપાળ - તેજપાળે વિક્રમ સંવત ૧૨૮૬ પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા શ્રી વર્ધમાન સૂરીજી મહારાજ સહિત અન્ય આચાર્યોની ઉપસ્થિતિ વચ્ચે કરાવી.
જિનેશ્વરદેવના શાસનની રક્ષા કરે, તીર્થની રક્ષા કરે, ભક્તોની મનોકામના પૂર્ણ કરે, તીર્થાધિપતિની અંતઃકરણની ભક્તિ કરે તેમજ તીર્થનો મહિમા વધારે તેવા દેવોને અધિષ્ઠાયક દેવો કહેવામાં આવે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવોમાં શ્રી પાર્શ્વયક્ષ, નાગરાજ ધરણેન્દ્ર તથા માતા પદ્માવતી મુખ્ય છે. આ સિવાય અન્ય કેટલાક શાસ્ત્રોમાં અન્ય કેટલાક દેવી-દેવતાઓ પણ અધિષ્ઠાયક સેવકો હોવાનો ઉલ્લેખ છે. ( સ્તોત્ર ૧૧માં જણાવ્યું છે કે ૬૪ ઈંદ્રો, નાગરાજ ધરણેન્દ્ર, દસ દિક્યાલો, નવગ્રહો, યક્ષો, પદ્માવતી, વૈરાટ્યા, જયા, અજિતા, વિજયા, અપરાજિતા વગેરે દેવ-દેવીઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના આશંકિત સેવકો છે. તેઓ પ્રભુની સેવામાં તત્પર હોય છે. - ઉપરોક્ત દેવ-દેવીઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ-દેવીઓ હોવાથી શંખેશ્વર તીર્થનો મહિમા આ કારણે પણ વધવા પામ્યો છે.
પંદરમી સદીમાં લખાયેલા એક ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે શ્રી વર્ધમાનસૂરીજી શ્રી શંખેશ્વર તીર્થના ધ્યાનથી વ્યંતરદેવ થયા છે. જેની કથા આ પ્રમાણે છે. - પૂ.આ.ભ. શ્રી વર્ધમાનસૂરીજી મહારાજ સંયમની આરાધના અત્યંત કષ્ટ પૂર્વક કરતા હતા. એમની પ્રભુ પ્રત્યેની ભક્તિ અપૂર્વ હતી. જ્યારે તેઓ
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૪