________________
શ્રી શ્રમણ સંઘના સૂત્રધાર એવા આ મહાપુરુષના દર્શન માત્રથી જ ભવોભવના પાપકર્મ ક્ષીણ થઈ જાય છે.
પૂજયશ્રી જૈનાચાર્ય હોવા છતાં સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રીય અસ્મિતાની સુરક્ષાના પ્રખર હિમાયતી છે. એક જાગૃત પ્રહરી તરીકે તેઓ આ વિષયમાં સક્રીય ભાગ લેતા રહ્યાં છે.
પૂજ્યશ્રી હજારો ભક્તોમાં “ચમત્કારી બાબા' તરીકે સુપ્રસિધ્ધ હોવા છતાં પૂજયશ્રી નિખાલસપણે જણાવે છે કે “હું કોઈ જ ચમત્કાર કરતો નથી.”
મોટી તપશ્ચર્યા કરવાની હોય ત્યારે તેના પચ્ચખાણ લેવા આરાધકો દૂર દૂરથી પૂજ્યશ્રી પાસે આવતા રહે છે.
પૂજયશ્રીનું જીવન અત્યંત સાત્વિક, આરાધનામય અને નિર્મોહી છે. તેઓ શ્રી જિનશાસનનું અણમોલ રત્ન છે. આવાં રત્નો વારંવાર પૃથ્વી પર જન્મતા નથી તે હકીકત છે.
આ
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૩