________________
વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. અહીં શ્રી સરસ્વતી માતાજી ની પ્રતિમાજી બિરાજમાન છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર સરસ્વત્યે નમઃ | (૨) ૐ એં શ્ર વાડ઼ મર્થ્ય નમઃ | (૩) ૐ વઃ સરસ્વત્યે નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે મંત્ર જાપ કરવાથી બુદ્ધિ શક્તિ ખીલે છે. યાદશક્તિમાં વધારો થાય છે તેમજ વકતવ્ય આપવા માટે આ મંત્રના જાપ લાભદાયી બને છે.
શ્રી સરસ્વતી માતા
રન
૨૭૧