________________
દ્વારા મૂર્તિ કંડારવામાં આવી પછી સ્થાપના કરવામાં આવી.
જૈન શાસનમાં બાવન વીરો છે તેમાં ત્રીસમાં વીર શ્રી ઘંટાકર્ણ વીર છે. જંબુદ્વીપમાં આર્યક્ષેત્રમાં તુંગભદ્ર નામે ક્ષત્રિય રાજા હતા. તેઓની અનેક શાસ્ત્રો છતાં મુખ્યત્વે હથિયારમાં તીર, કામઠું, ઢાલ, ગદા હતા. તેઓને સુખડી ખૂબજ પ્રિય હતી. તેઓ યાત્રાળુઓ, સાધુઓ અને સ્ત્રીઓનું લૂંટારાઓ અને જંગલી પ્રાણીઓથી નિયમિત રક્ષણ કરતાં હતા. તેઓ ચ્યવીને ઘંટાકર્ણ મહાવીર દેવ નામે દેવભૂમિમાં સમકિતી દેવ થયા.
સંવત ૧૯૮૦ માગસર સુદ-૩ ના દિવસે મહુડીના હાલના રંગમંડપમાં સર્વકાર્ય સિધ્ધિ કારક દેવશ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા આ.ભ. શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીજી મહારાજાએ કરાવી. પીઠિકા ભાગમાં મંત્ર અંકિત કરવામાં આવ્યો. જે ઘંટાકર્ણ મહાવીરનો મૂળમંત્ર છે. તે સાથે મંત્ર અંકિત કરેલો ઘંટ સ્થાપવામાં આવ્યો. ધ્વજદંડ પણ ફરકાવવામાં આવ્યો. પ્રત્યેક કાળી ચૌદશના મહુડી તથા રાજકોટના શ્રી ઘંટાકર્ણ આરાધના મંદિરે હોમ-હવન તથા પૂજન થાય છે. કાળી ચૌદશના દિવસે શ્રી ઘંટાકર્ણ વીરની પક્ષાલપૂજા, કેસરપૂજા, ફૂલ, ધૂપપૂજા, મુગટ પૂજા, આભૂષણપૂજા, સોનાના વરખની પૂજા, ૧૦૮ ફૂલ પૂજા તથા ૧૦૮ દીવાની આરતી વગેરે કરવામાં આવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી ઘંટાકર્ણ વીરની પરમ પ્રભાવક મૂર્તિ છે. આ જિનાલયમાં પ્રવેશ કરતાં જ શ્રી ઘંટાકર્ણ વીરના દર્શન ભાવિકો કરી શકે છે. શ્રી ઘંટાકર્ણ વીર દરેકની મનોકામના પૂરી કરે છે.
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૩