________________
માટેની આ સંરક્ષણાત્મક ઢાલ છે.
આ દુન્યવી પદાર્થોની ભૌતિક સામગ્રીઓ તેને કંઈ જ કરી શકતી નથી. આત્માના વિકાસ માટે તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે ઢાલરૂપી સંવર ભાવોનો સહારો લેવો જોઈએ. ઢાલ અને ત્રિશૂલમાં આ ભાવાર્થ રહેલો છે.
શ્રી ઘંટાકર્ણ મહાવીરે તો ગદા પણ ધારણ કરેલી છે. ઉર્જાના ભૂક્કા કાઢી નાખવા માટે લશીકરણ પર પહોંચવા માટે ગદા ખૂબ જ જરૂરી છે. પવનપુત્ર હનુમાનજી પાસે ગદા હતી. અને ઘંટાકર્ણ વીર પાસે પણ ગદા છે. વાયુ પુત્ર હનુમાનને પણ મહાવીર કહેવામાં આવે છે. આસુરી તત્ત્વોનો નાશ કરવો એ હનુમાનજીનો આદર્શ હતો, એજ રીતે ઘંટાકર્ણ પણ આ આદર્શને વરેલા છે. આમ શ્રી ઘંટાકર્ણ મહાવીર હનુમાનજીની પ્રતીતિ પણ કરાવે છે. ના
શ્રી ઘંટાકર્ણ મહાવીર પાસે તો નાગ પણ હોય છે. આ નાગ હોવા પાછળ અનેરૂં-અગાધ તત્ત્વજ્ઞાન રહેલું છે.
માનવીના નાભિકમળમાં કુંડલિની પડી છે. આ કુંડલિને જાગૃત કરવાનું નાગના પ્રતીક દ્વારા કહેવામાં આવે છે. - નવકાર મંત્ર પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરાવી અષ્ટપદની વિચાર ધારામાં ઉતરતાં કુંડલિની પ્રગટ થાય છે. આ કુંડલિની જાગૃત થવાથી મનુષ્યને સત્કર્મની ભાવના પ્રગટે છે.
- શ્રી ઘંટાકર્ણ મહાવીર પાસે સિંહ પણ ઊભેલા છે. સિંહનું પ્રતીક એમ દર્શાવે છે કે સિંહ એ વનનો રાજા છે. સિંહને આળસ ન પોષાય. એ રીતે માનવીને પણ આળસ ન પોષાય. પ્રમાદ ન તો સિંહને પોષાય ન તો માનવીને પોષાય.
શ્રી ઘંટાકર્ણ મહાવીરની બાધા પૂરી કરનાર “સુખડી ધરાવે છે. મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે શ્રી ઘંટાકર્ણ મહાવીરને સુખડીનો પ્રસાદ શા માટે ધરાવવામાં આવે છે? તેમાં સત્વ અને તમસ ગુણોનો સમાવેશ થયેલો હોય છે. ઘી, ગોળ અને લોટ આ ત્રણની સુખડી બનતી હોય છે. તે
માનવની પ્રવૃત્તિ એટલે કે સ્વભાવના પણ ત્રણ ગુણ હોય છે. સ્વભાવમાં તમસ ગુણો નાશ પામતાં જ સત્ત્વ ગુણ પ્રગટતો હોય છે. સુખડી ગમે તેટલી
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૧