________________
ડગ્યા નહિ. કે કંપ્યા નહિ.
ઓહ...! શું એમની અડતા...! શું તેમની અપૂર્વ સાધના...!
અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્રભાગને જળનો પ્રવાહ આંબી ગયો પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી.
આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે “અરે...! પેલો તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે...”
અને તત્કાળ પોતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર દેવ વેગથી પ્રભુ પાસે આવ્યો.
નાગરાજ ધરણેન્દ્રએ તરત જ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવાવાળુ એક સુવર્ણ કમળ વિકુવ્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાંને ઢાકી દઈને સાતફણા વડે પ્રભુને માથે છત્ર ધર્યું.
જળની ઊંચાઈ જેવડા લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત - નૃત્ય કરવા લાગી.
આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ રમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાળી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો.
આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : અરે...તું આ શું કરી રહ્યો છે? હું એ મહાકૃપાળુનો શિષ્ય છું. પણ હવે હું સહન કરી શકીશ નહિ. યાદ કર...તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતાં સર્પને બચાવીને તને પાપમાંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે? તે પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને જ કાર્યારંભ કરેલ છે તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિ.'
| નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળીને પોતાનો પરાજય
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૬