________________
મહારાજનો જ્ઞાનસાર ઉચ્ચ કોટિનો અધ્યાત્મ ગ્રંથ ગણાય છે. તેઓશ્રીના આધ્યાત્મિક ચિંતનાત્મક ઘણા પદ્યો આજે પણ સુલભ થાય છે.
આ.પૂ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજે અનેક સ્થાનો તથા સંસ્થાઓમાં ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજનું નામ અમર કર્યુ હતું. પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મનો પરિચય વીરભૂમિ મહુવાના પ્રસિધ્ધ વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કરાવ્યો હતો પરંતુ તે દિશામાં વિશેષ કાર્ય તો આ.ભ. શ્રી વિજય ધર્મુરીશ્વરજી મહારાજાએ જીવનભર ચાલુ રાખ્યું હતું. અને તેના ફળ સ્વરૂપે અનેક વિદ્વાનો જૈન ધર્મના અભ્યાસી અને જૈન તત્ત્વ ચિંતક થયા. આ.પૂ. શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના દર્શનાર્થે તથા માર્ગદર્શન અર્થે અનેક વિદ્વાનોની સતત અવર-જવર રહેતી હતી. તેઓશ્રીએ જૈન સમાજને ચરણે મહામૂલા વિદ્વાનોની ભેટ આપી છે. | શિવપુરીમાં ચાલતી શ્રી વીર તત્ત્વ પ્રકાશક સંસ્થા અને મહા વિદ્યાલય તે આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. નું અમર સ્મારક ગણાય છે. આ સંસ્થાએ પણ જૈન સમાજને અનેક વિદ્વાનો આપ્યા છે.
સંવત ૨૦૨૩માં તપોનિધિ જૈનાચાર્ય શ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મહારાજ આદિનું ચાતુર્માસ વાલકેશ્વર (મુંબઈ) શ્રી આદિનાથ જૈન ઉપાશ્રયમાં હતું ત્યારે અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર, ઉપધાન તથા સાધર્મિક ભક્તિના કાર્યો થયાં હતા એટલું જ નહિ પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ. ની જન્મ શતાબ્દીની ઉજવણી તપ-ધર્મ આરાધના સાથે કરવામાં આવી હતી. આ.પૂ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. ની જન્મ શતાબ્દી પ્રસંગે ભાદરવા સુદ ચતુર્દશીના દિવસે ૧૪૦૦ ભાઈ-બહેનોએ આયંબીલની તપશ્ચર્યા કરી હતી અને અઢાર લાખ નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો. એક લાખ પુષ્પોની આંગીના દર્શન કરવા હજારો ભાઈ બહેનો ઉમટી આવ્યા હતા. શતાબ્દી સમારંભની સભામાં કે. કે. શાહ, ભાનુશંકર યાજ્ઞિક, શ્રી પાડેજી વગેરેએ પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. ને હૈયાના ભાવ સાથે શ્રધ્ધાજલી આપીને ગુણાનુવાદ કર્યો હતો. તેમજ પૂજયશ્રીના
૨૧૦.
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.