________________
થઈ ગયા.
ગત ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થકર ભગવંતો થઈ ગયા તેમાં નવમા તીર્થંકર ભગવંત શ્રી દામોદર સ્વામી થયા. શ્રી દામોદર સ્વામી અષ્ટ પ્રાતિહાર્યની શોભા ધરાવતા હતા.
એક દિવસ એક નગરીના સુમનોહર ઉદ્યાનમાં તીર્થકર ભગવંત શ્રી દામોદર સ્વામી પધાર્યા. ઈન્દ્રાદિ દેવોએ સમવસરણની રચના કરી. તીર્થકર ભગવંત શ્રી દામોદર સ્વામી પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોકવૃક્ષ નીચે દેવરજીંદા (પિઠિકા) ઉપર શ્રી દામોદર સ્વામી ‘નમો તીથસ્સ' કહીને સિંહાસન પર બિરાજ્યા.
સુમનોહર ઉદ્યાનમાં દેવ, દાનવ, મનુષ્ય અને તિર્થઓ પ્રભુની ધર્મદશનાનું શ્રવણ કરવા ઉમટી પડ્યા હતા.
ભગવાન શ્રી દામોદર સ્વામીએ અમૃતની વૃષ્ટિ સમાન મંગલ દેશનાનો પ્રારંભ કર્યો. દેશના એક પ્રહર ચાલી ત્યારબાદ ગણધર ભગવંતે દેશના આપી.
સમવસરણમાં આષાઢી નામનો શ્રાવક આવ્યો હતો. આષાઢી શ્રાવક ધર્મ પ્રત્યે અડગ શ્રધ્ધા દાખવનારો હતો. નિયમિત સેવા-પૂજા અને પ્રભુ ભક્તિ કરતો હતો.
| ગણધર ભગવંતની દેશના વિરામ પામ્યા પછી આષાઢી શ્રાવક તીર્થંકર ભગવંત શ્રી દામોદર સ્વામી પાસે આવ્યો અને ભાવથી વંદન કરીને પૂછયું: “હે ત્રિભુવનપતિ, મારા મનની મુંઝવણ નષ્ટ કરો...મારો મોક્ષ ક્યારે થશે? કોના સમયમાં થશે ? આ ભવોભવના ફેરામાંથી હું ક્યારે મુક્ત થઈશ ?'
કરૂણા સાગર ભગવંતે કહ્યું : “વત્સ, આવતી ચોવીશીમાં અવસર્પિણી કાળમાં, ચોથા આરામાં ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે. તમે તેમના “આર્યધોષ' નામના ગણધર બનીને એ જ ભવમાં મોક્ષે જશો. આ “પ્રભુ, આપે મારા પર મહાકૃપા કરી.' આષાઢી શ્રાવકે વંદન કરીને કહ્યું. આષાઢી શ્રાવકને થયું કે મારું જીવન સાર્થક બનશે. આવતી ચોવીશીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મારા પર અનંત ઉપકાર વરસશે. હું ગણધર બનીશ મારા ભવોભવના બંધનો નષ્ટ થશે. મારે અત્યારથી જ, અરે આ ભવથી જ શ્રી પાર્શ્વ
શ્રી શુભ ગણધર
૧૯૬