________________
ત્યારપછી શ્રીકૃષ્ણ અત્યંત ભક્તિભાવથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનો સ્નાત્ર મહોત્સવ કર્યો. તે સ્નાત્રજળ સૈન્ય પર છાંટ્યું. સૈન્ય નવી ર્તિ અને ઉમંગ સાથે જાગૃત થયું. અને ઘોર યુધ્ધ શરૂ થયું. ( શ્રીકૃષ્ણ અને જરાસંઘ સામ સામે આવી ગયા. કારમો સંઘર્ષ થતાં જરાસંઘે પોતાનું અંતિમ શસ્ત્ર સુદર્શન ચક્ર શ્રીકૃષ્ણ પર છોડ્યું. પરંતુ ચક્રે શ્રીકૃષ્ણને ત્રણ પ્રદક્ષિણા આપીને તે ચક્ર સીધું જરાસંઘ પર જઈ પડ્યું. તેનાથી જરાસંઘનું મસ્તક છેદાઈ ગયું. જરાસંઘ યુધ્ધભૂમિ પર ઢળી પડ્યો.
ત્યારે શ્રીકૃષ્ણ વિજયના હર્ષમાં શંખનાદ કર્યો.
જ્યાં શંખનાદ કર્યો ત્યાંજ શંખપુર નગર વસાવ્યું અને ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. અને તે જિનપ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભવ્ય ચમત્કારિક મૂર્તિ બિરાજીત કરી. શ્રીકૃષ્ણ જે શંખપુર વસાવ્યું તે આજનું શંખેશ્વર અને જે પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા હતા તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (આષાઢી શ્રાવકે કરાવેલા).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી શુભ ગણધર ભગવંત ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
@L
શ્રી શુભ ગણધર
૨૦૦