________________
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ અમદાવાદથી ૮ કિ.મી. ના અંતરે નરોડામાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુનું પરમ પ્રભાવક તીર્થ આવેલું છે. વીજાપુરમાં પણ શ્રી પદ્માવતી પાર્શ્વનાથનું જિનાલય છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. અહીંના પાધવતી દેવીનો મહિમા અપૂર્વ છે. દર પુનમ અને બેસતા મહિને અહીં મેળો ભરાય છે. દૂરદૂરથી ભાવિકો અહીં શ્રી પદ્માવતી પાર્શ્વનાથના દર્શનાર્થે આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની એકસો આઠમી દેવકુલિકામાં શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
અમદાવાદથી પૂર્વ દિશામાં આવેલા નરોડામાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથજીની પ્રતિમાજી સુમનોહર અને અલૌકિક છે. પ્રતિમાજીના દર્શનમાત્રથી હૈયામાં ભક્તિના ભાવ રમવા લાગે છે. પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાણની છે. પ્રતિમાજીના મસ્તક ઉપર પાંચ ફણા અને તેની ઉપર નવફણા છે. આ પ્રકારની દિવ્ય પ્રતિમાજીના દર્શન જવલ્લેજ થઈ શકે છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૩ ઈંચ અને પહોળાઈ ૧૦ના ઈંચની છે. | પૂર્વકાળમાં આ મહારાજા નળની નૈષધનગરી હોવાનું મનાય છે. અહીં એક પ્રાચીન શિવમંદિર છે. તે નળ રાજાના સમયનું હોવાનું મનાય છે. નરોડામાં શેઠ હઠીસિંહ કેસરી સિહે શિખરબંધી જિનાલય બંધાવેલું છે. આ આ જિન પ્રાસાદના મૂળનાયક શ્રી પદ્માવતી પાર્શ્વનાથ લોકોમાં ‘શ્રી ગોડીજી પાર્શ્વનાથ' ના નામથી વધારે જાણીતા છે. જમીનમાંથી આ પ્રતિમાજી પ્રગટ થઈ હતી. આ જિન પ્રાસાદની નજીક એક ટીંબામાંથી પ્રાચીન અવશેષો મળી આવતાં ત્યાં પહેલાં પ્રાચીન, ભવ્ય જિનાલય હોવાનું મનાય છે. અહીંના પદ્માવતી અત્યંત પ્રાચીન ચમત્કારી, મનોકામના પૂર્ણ કરનારાં હોવાથી પદ્માવતી પૂજિત આ પાર્શ્વનાથજીના દર્શને લોકોનો ધસારો દરરોજ રહ્યાં કરે છે. વિક્રમ સંવત ૧૬૫૫માં
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૧