________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં છચ્યાસીમી દેવકુલિકામાં શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
| મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં અવંતિ પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં હ્રીં શ્ર અવંતિ પાર્શ્વનાથાય નમઃ | (૩) 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અવંતિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થ થઈને નિશ્ચિત સમયે અને નિશ્ચિત સ્થાને આસન ગ્રહણ કરીને જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા તથા વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે.
નો સંપર્કઃ શ્રી અવંતી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક
મારવાડી સમાજ ટ્રસ્ટ શાંતતિનિાથ ગલી, છોટા સરાફા, ઉજ્જૈન (મ.પ્ર.) - ૪પ૬૦૦૬ ફોન : (૦૭૩૪) ૨૫૮૫૮૫૪, ૨૫૫૫૫૫૩, ૨૫૫૦૮૭૧
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૩૦