________________
પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં એકસો પાંચમી દેવકુલિકામાં શ્રી વિષ્નાપહાર પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી ફણા રહિતની છે.
( મેત્ર આરાધના
કરી
(૧) ૐ હ્રીં શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિજ્ઞાપહારજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વિજ્ઞાપહારજી પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા દરરોજ વહેલી સવારે ઊઠીને કરવી. આરાધનાનો સમય અને સ્થાન નિશ્ચિત રાખવા તથા મુખ પૂર્વ દિશા તરફ રાખવું મનને સ્થિર રાખવુ. આરાધના દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી કપરાકાળમાં મદદ મળે છે. જીવનમાં મંગલ વર્તાય છે.
સંપર્કઃ શ્રી મોટા પોસીના પાર્શ્વનાથજી જૈન દેરાસર ( શ્રી મોટા પોસીના જૈન શ્વેતામ્બર મૂ.પૂ. દેરાસર ટ્રસ્ટ પો. મોટા પોસીના, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા - ૩૮૩૪૨૨
ફોન : (૦૨૭૭૫) – ૨૮૩૪૭૧
ન શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ
૧૬૭