________________
એટલે કે આ પ્રતિમાજી ચમત્કારિક કહેવાય છે.)
બીજી એક લોકવાયકા અનુસાર એક વખત પ્રભુના છત્ર ધારક ધરણેન્દ્ર દેવે પોતાની ફેણમાથી દૂધની ધારા વહાવી હતી, જેથી મંદિરના મૂળ સ્થાનમાં દૂધ
ભરાયું હતું. આ ચમત્કારી ઘટનાના જાતકોએ દર્શન કર્યા હતા. પ્રભુ પ્રતિમાનું શિલ્પ સૌંદર્ય અલૌકિક છે.
શ્રી પાર્શ્વ-સ્તાવના સંગ્રામ સોની દ્વારા નિર્મિત, ગઝની કો પરચા દિયા | દૂધ બહતા થા ફણોસે, ચકિત સબકો કર દિયા || વાંછિત-દાતા મક્ષી સ્વામી, મન મેરા હૈ હર લિયા | ઐસે ‘શ્રી મક્ષી પાર્થ' કો મેં, ભાવસે કરૂં વંદના //.
કર્મ પિંજરાથી છુટવા મથતું મારું આ મનપક્ષી, મુક્તિના ગગને જાવું છે પાંખો આપોને મને મક્ષી, ઓ...! મક્ષિજી પારસ વહાલા બચાવજો આ કર્મોથી, ‘મક્ષીજી પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
સંગ્રામ સોનીએ બંધાવેલ આ જિન મંદિરને તોડવા મહંમદ ગઝની આવતાં તેનું સ્વાથ્ય તૂટયું. પ્રતિમાજીના અનેક ચમત્કારો જોઈ પ્રભાવિત બની, મંદિર તો ના તોડયું, પણ જિનાલયની રક્ષાર્થે દ્વાર પર પાંચ કાંગરા કરી પાછો વળ્યો. આજેય અનેક ચમત્કારો થાય છે. થોડા સમય પહેલાં ફણામાંથી દૂધ ઝરતાં ગભારો દૂધમય બની ગયો હતો. અત્યંત દર્શનીય અને અલૌકિક તીર્થધામ છે.
છત્ર સ્વરૂપ તું જ ફેણમંથી ધાર વહેતી દુગ્ધની, પરચો બતાવ્યો ગઝનીને અરજી સુણો આ મુગ્ધની, હે મક્ષી પારસ મોક્ષ દેજો રક્ષી-રક્ષી મોહથી, શ્રીમક્ષી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી મક્ષી પાર્શ્વનાથ
૩૪