________________
(૨) રાજસ્થાનના પાલી જીલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામમાં આવેલું છે. પ્રાચીનકાળમાં આ સમૃધ્ધ અને વિશાળ નગર હતું એવો ઉલ્લેખ મળી આવે છે. મહારાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના શ્રેષ્ઠીઓએ આનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. પ્રતિમાજી ૫૨ કોઈ લેખ નથી. પરંતુ એક સ્તંભ પર વિક્રમ સંવત ૧૨૧૧નો લેખ લખેલો છે. દરવાજાની બહાર ૧૬૮૬નો લેખ છે. આ પ્રતિમાજી વિ.સં. ૫૧૫માં પ્રતિષ્ઠિત થયેલ છે. તેમ માનવામાં આવે છે. શિખરો પરની કલાકૃતિ દર્શનીય છે. સકલ તીર્થસૂત્રમાં પણ આ તીર્થનો ઉલ્લેખ આવે છે.
(૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રસિધ્ધિ તીર્થોની ગણના માં શ્રી વ૨કાણા તીર્થનો સમાવેશ થાય છે. ‘સકલ તીર્થ વંદના'માં ‘અંતિરક વરકાણો પાસ' એ શબ્દો વડે તેનું સૂચન થયેલું છે. આ તીર્થ રાજસ્થાનમાં રાની સ્ટેશનથી બે માઈલ દૂર આવેલું છે.
પ્રથમ અહીં વરકનક નામનું એક મોટું નગર હતું. અને તેમાં અનેક જિનમંદિરો શોભી રહ્યાં હતું, પરંતુ રાજકીય ક્રાંતિ માં એ બધું ભૂગર્ભમાં ભળી ગયું. અને તેના પર હાલનું ગામ વસ્યું. અહીં મેવાડના રાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના એક ધનાઢય ગૃહસ્થે બાવન દેવકુલિકાવાળું ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવ્યું. તે આજે વિઘામાન છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જે બિંબ છે, તે ઘણું પ્રાચીન છે. ઘણા ભાગે રાજા સંપ્રતિના સમયનું છે. તેનું પરિકર પિત્તળનું છે, જે પાછળથી બનેલું છે. પરંતુ તેમાં ૨૩ તીર્થંકરોની મૂર્તિઓ છે, એટલે મૂળનાયક મળીને ચોવીશ થાય છે.
મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહે તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી વરકાણા તીર્થમાં પોષ વદી-૮-૯-૧૦ના ભરાતા મેળાના દિવસોમાં લેવાતો કર માફ કરેલો હતો.
યુગવી૨ આચાર્ય ‘શ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના પ્રયાસથી અહીં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય તથા હાઈસ્કૂલ શરૂ થયેલ છે. અને તે આજે સારી સ્થિતિમાં ચાલી રહેલ છે.
ના
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૩