________________
વિશેષ જાણકારી આ મંદિરનું નિર્માણ લગભગ ૧૧૦૦ વર્ષ પહેલાં થયાનો ઉલ્લેખ મળે છે. મંદિર નિર્માણ બાદ હજુ સુધી કોઈ જીર્ણોધ્ધાર થયો નથી. આજે પણ જીર્ણોધ્ધારની જરૂરત હોય તેવું લાગતું નથી. આ પણ એક ચમત્કાર કહેવાય છે.
મંદિરની નિર્માણ શૈલી તથા પ્રતિમાજીની નિર્માણ શૈલી તેની પ્રાચીનતાના દર્શન કરાવે છે. આ સિવાય એક બીજું મંદિર આવેલું છે. જયાં વર્તમાન ભૂત અને ભવિષ્યના તીર્થકરોની પ્રતિમાજી તથા અધિષ્ઠાયક દેવ-દેવીઓની પ્રતિમાજી દર્શનીય છે. મંદિરની નિર્માણ શૈલી ક્લિા આકારની છે. આવી બાંધણી બહુજ ઓછી જગ્યાએ જોવા મળે છે. (સંકલિત).
( શ્રી પાર્શ્વ સ્તવના પ્રાચીન પ્રતિમા ગ્રામ ‘વહી' કી, આશાતના હૈ ટાલતી | અદ્વિતીય મૂરત ભક્તગણકે , કોટિ જન્મ સુધારતી || જો બતાકર દિવ્ય પરચા, રોગ-શોક નિવારતી | ઐસે ‘શ્રી વહી પ્રભુ પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના // -
સિંહ સમ શૂરવીર છો. ને નામ તારૂં છે વહી, શિયાળ બનીને સંકટ સામે ભટકું છું હું અહિ તહિં,
સ્તવના
શિવ રમણીના પ્રિતમ પ્યારા, પરમાનંદ સ્વરૂપ; સામે જંગ ખેલતા, ભક્તો માટે ક્રૂર નહિ, ‘વહી’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
વેળુ નિર્મિત મૂર્તિનું શિલ્પ અદ્વિતીય છે. પ્રભુજીની પલાઠી તળે રહેલ વાઘની આકૃતિના પૂછડા પ્રભુજીની પીઠ પાછળથી ફણા ઉપર નીકળે છે. પ્રભુજી ખૂબજ
શ્રી વહી પાર્શ્વનાથ
૧૧૯