________________
ધનસુખલાલ માસ્તર નિયમિત સવારે શ્રી જિનપૂજા, સવાર-સાંજ પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતાં હતા. અવાર-નવાર તપશ્ચર્યા પણ કરતાં હતા.
ધનસુખલાલની પુત્રી મોટી થઈ હતી. તેના એક જગ્યાએ સંબંધ બંધાયો હતો. બે મહિના પછી લગ્ન આવતાં હતા અને ધનસુખલાલ ભારે ચિંતામાં પડી ગયા હતા કે લગ્નનો ખર્ચ કઈ રીતે ઉપાડી શકીશ? મને ઉછીના કોણ આપશે ? જીવનમાં કોઈ સામે હાથ લંબાવ્યો નથી...શું કરવું?
એક દિવસ ધનસુખલાલને વિચાર આવ્યો કે શંખેશ્વર જઈ આવું અને મનને હળવું કરી આવું. આમ વિચારીને ધનસુખલાલ રવિવારની રજામાં શંખેશ્વર આવ્યા. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી. ત્યાં શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા સામે સ્થિર બનીને ઊભા રહી ગયા. મૂર્તિનું તેજ જોઈને ધનસુખલાલની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને મનોમન બોલવા લાગ્યાં “હે પ્રભુ, હવે તું જ મારો આધાર છે. મારે પર જે કૌટુંબિક જવાબદારી આવી પડી છે. તેનો રસ્તો તું જ કાઢી આપજે. | ધનસુખલાલે ત્યાં બેસીને ચૈત્યવંદન કર્યું. સ્તવન ગાયું. અને એજ દિવસે બપોરે ભોજનશાળામાં ભોજન લઈને પાટણ જતાં રહ્યાં. તેઓ પાટણ આવ્યા ત્યારે કંઈક માનસિક શાંતિ થયાનો અનુભવ થયો.
આઠ દિવસ પસાર થઈ ગયા.
એક દિવસ ધનસુખલાલના ઘેર મુંબઈથી પાટણ આવેલાં મફતલાલ આવ્યા. મફતલાલની ઉંમર ચાલીસ વર્ષની હતી. તેઓ મુંબઈ ગયા પછી ઘણા સુખી થયા હતા. તેમણે ધનસુખલાલ માસ્તર પાસે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો હતો.
મફતલાલ પાટણ આવ્યા ત્યારે તેમણે તેમના વર્તુળ દ્વારા જાણવા મળ્યું કે ધનસુખલાલ માસ્તરની મોટી પુત્રીના વિવાહ થનાર છે પરંતુ માસ્તર આર્થિક સંકડામણ અનુભવે છે.
| મફતલાલ આ વાત જાણીને એક રૂમમાં રડી પડ્યા હતા અને થયું કે જેમણે મને ધાર્મિક અભ્યાસ કરાવ્યો, સંસ્કારના બીજ રોપ્યા તેવા મારા ગુરૂની સેવા ) કરવાની મને અનાયાસે તક સાંપડી ગઈ છે. ગુરૂ સીધી રીતે પૈસાને હાથ નહિ
શ્રી મુલવા પાનાથ
૧૫૧